Abtak Media Google News

યોગમાં ભાગ લેનાર તમામને મહાપાલિકા તરફથી એક સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે: પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સફાઈ કામદાર, ટેક્સી/રીક્ષા એસોસીએશનના સભ્યો, આંગણવાડીના બહેનો, દિવ્યાંગો, સ્ટ્રીટ વિન્ડર, વિગેરે માટે યોગ કાર્યક્રમ યોજાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. કાલે વિશ્વ યોગા દિનની ઉજવણી શહરેના જુદા જુદા મેદાનોમાં થશે. રેસકોર્ષ મેદાન ખાતે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કાર્યક્રમના ઇન્ચાર્જ જયમીનભાઇ ઠાકર, ઉપપ્રમુખ મોહનભાઈ વાડોલીયા, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ તેમજ લાગુ વોર્ડ નં.૦૨, ૦૩,૦૭ના કોર્પોરેટરો, શહેર સંગઠનના હોદેદારો, લત્તાવાસીઓ, તેમજ જુદી જુદી સંસ્થાઓના સભ્યો વિગેરે ઉપસ્થિત રહેશે.

નાનામવા ચોકડી સામેના મેદાન ખાતે ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કાર્યક્રમના ઇન્ચાર્જ રાજુભાઈ અઘેરા તેમજ લાગુ વોર્ડ નં. ૦૮, ૧૧,૧૨,૧૩ના કોર્પોરેટર, શહેર સંગઠનના હોદેદાર, તેમજ લત્તાવાસીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

રાજપેલેસ સામેના મેદાન ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, કાર્યક્રમના ઇન્ચાર્જ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ તેમજ લાગુ વોર્ડ નં. ૦૧,૦૯,૧૦ના કોર્પોરેટર, શહેર સંગઠનના હોદેદાર તેમજ લત્તાવાસીઓ  વિગેરે ઉપસ્થિત રહેશે.

રણછોડદાસજી આશ્રમ સામેના મેદાન ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કાર્યક્રમના ઇન્ચાર્જ મુકેશભાઈ રાદડિયા, તેમજ લાગુ વોર્ડ નં. ૦૪,૦૫,૦૬,૧૫ના કોર્પોરેટર, શહેર સંગઠનના હોદેદાર તેમજ લત્તાવાસીઓ ઉપસ્થિત રહેશે.

પારડી રોડ પર આવેલ મેદાન ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કાર્યક્રમ ઇન્ચાર્જ વર્ષાબેન રાણપરા તેમજ લાગુ વોર્ડ નં.૧૪,૧૬,૧૭,૧૮ કોર્પોરેટર, શહેર સંગઠનના હોદેદાર તેમજ લત્તાવાસીઓ  ઉપસ્થિત રહેશે.

પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સફાઈ કામદાર, ટેક્સી/રીક્ષા એસોસીએશનના સભ્યો, આંગણવાડીના બહેનો, દિવ્યાંગો, સ્ટ્રીટ વિન્ડર, વિગેરે માટે યોગ કાર્યક્રમ યોજાશે. ગાંધી મ્યુઝીયમ ખાતે પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, કાર્યક્રમના ઇન્ચાર્જ શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

ભારતીય સંસ્કૃતિમાં યોગ એક અભિન્ન અંગ છે. યોગથી શરીરમાં ખુબ જ ઉર્જાનો સંચય થાય છે. તેમજ શરીરની તંદુરસ્તી માટે યોગ ખુબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુનના રોજ યોજાનાર યોગ કાર્યક્રમમાં જોડાવવા માટે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે શહેરીજનોને અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.