Abtak Media Google News

જમશેદપુરમાં નરભેરામ હંસરાજ કમાણી જૈન ભવનની આગ્રહભરી વિનંતીથી મંગળવારે સ્થીરતા કરનાર પૂ. ધીરગુરુદેવના સાંનિઘ્યે કોરોના મહામારી રોગના ઉપદ્રવની ઉપશાંતિ અર્થે વિશ્ર્વ શાંતિ સદભાવના જાપનું આયોજન કરાયું હતું. મઘ્ય મંગલ સ્ત્રોત્ર પાઠ, શ્ર્લોક વડે રોગની શાંતિ માટે સહુએ પ્રાર્થના કરી હતી. પંચ મહાવ્રતધારી સાધુ સાઘ્વીજીને ઉપયોગી સાતાકારી પાટ વિતરણમાં તરૂબેન રાજનભાઇ કમાણી, કાંતિલાલ જે. ગાંધી, પ્રદીપભાઇ અજમેરા, પ્રવીણભાઇ દેસાઇ સહિતના પરિવાર જોડાતા પ૧ પાટના લાભાર્થી  બન્યા હતા. સમીર મકાણીએ સૂત્ર સંચાલન તથા પ્રમુખ રાજનભાઇ પી. કમાણી સહિત સકલ સંઘે વિનમ્ર ભાવે ચાતુર્માસ કલ્પની વિનંતી કરી હતી.

4. Thursday 2 4

આ તકે ગુરુદેવે જણાવ્યુઁ હતું કે સમગ્ર વિશ્ર્વમાં સામુદાનિક કર્મના ઉદયે કોરોના વાયરસ મહામારી રોગનો ઉપદ્રવ વર્તાય રહ્યો છે. આવા સમયમાં જૈન ધર્મના તપ જપ વગેરે ઉપશાંતિમાં નિમિત ભૂત બની શકે છે. રોગથી ડરવાની જરૂર નથી  સાવધાની રાખીને બીજાને ઉપયોગી બનવાની જરુર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.