Abtak Media Google News

ખેડૂતો રાજ્યની કોઈપણ એપીએમસીમાં પોતાની જણસ વહેંચી શકશે: રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા ભરત પંડ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ મુખ્યમંત્રીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે દરેક ક્ષેત્ર, દરેક વર્ગને આવરી લઈને તેના હિતના નિર્ણયો લઈ રહી છે. બી.પી.એલ., એ.પી.એલ. કે પરપ્રાંતિયોને મફત અનાજ આપવાની વાત હોય કે દિવ્યાંગ કે વિધવા બહેનોને સહાય આપવાની હોય અને નાના-મોટા ઉદ્યોગને રાહત આપવાની હોય કે પછી શ્રમિકો કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયોની લેવાની વાત હોય કે પછી ખેડૂતહિતની વાત હોય.

પંડયાએ જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતહિત માટે એક નવું પગલું ભર્યું છે. ખેડૂત કોઈપણ એપીએમસીમાં પોતાની જણસને વેચી શકશે. અને રાજ્યનો કોઈ પણ વેપારી એક જ લાયસન્સથી રાજ્યની તમામ એપીએમસીમાંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા થશે અને ખેડૂતને સારાં ભાવ મળશે.

અને માત્ર એપી એમ સીમાંથી ખરીદશે તો જ માર્કેટ ફી ભરવી પડશે ખેડૂતના ઘરેથી ડાયરેક્ટ ખરીદશે તો નહિ ભરવી પડે. ખેડૂત પ્રતિનિધિની સંખ્યા ૮થી વધારી ૧૦ કરી એટલે ખેડૂતનો અવાજ વહીવટમાં બહુમતી બનશે.

આ ખેડૂતહિતનાં નિર્ણયને ભાજપ આવકારે છે. અને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને કૃષિમંત્રી આર. સી. ફળદુને અભિનંદન આપે છે. ભૂતકાળમાં ખેડૂત પોતાની જમીન ૮ કિ.મી.ની અંદર વેચી શકે તેવો કાળો કાયદો પણ ભાજપની સરકારે દૂર કર્યો છે. ટ્રેકટરને ખેતીના ઉપયોગ માટે ગણવામાં આવતું ન હતું. ત્યારે ભાજપની સરકારે આવીને ટ્રેકટરને બળદગાડાને જેમ ટ્રેકટરને ખેડૂતની જરૂરીયાતનું સાધન ગણવાનો નિર્ણય કર્યો હતો.

પંડયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ‚. ૪૦ હજાર કરોડની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં જોગવાઈ હોય કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હોય. સોઈલ હેલ્થ કાર્ડ સાથે ઈ-નામ કે પછી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી હોય કે પછી યુરીયા ખાતરને નીમકોટેડ યુરીયા ખાતર કરીને ખેડૂતો માટે યુરીયાની ઉપલબ્ધતા સરળ બનાવી છે. ખેડૂત સન્માન નિધી અંતર્ગત ખેડૂતના ખાતામાં સીધાં પૈસા જમા કરવામાં આવે છે.  છેલ્લા ઘણાં વર્ષોથી અનેક કુદરતી આપત્તિમાં પણ અનેક યોજનાઓ સહિત કૃષિ મહોત્સવ કાર્યક્રમને કારણે કૃષિ ઉત્પાદનમાં દેશભરમાં કેટલાંક ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે.

સિંચાઈ માટેની નર્મદા યોજના, સૌની યોજના, સુજલામ-સુફલામ જેવી અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને સુખી કરવાનાં પ્રયાસો થયા છે. સરકાર ખાતર, બિયારણ, દવા અને ટ્રેકટર માટે સબસીડી આપે છે અને ૦% વ્યાજે લોન આપે છે. આ બન્ને સરકારોએ ખેડૂતના હિતમાં વધુને વધુ  નિર્ણયો સાથે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.