Abtak Media Google News

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ નીચે ચાલતી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કુલમાં હોસ્ટેલમાં ૫૫૦ બાળકો, શાળામાં સીટીના ૮૦૦ બાળકો મળી ૧૩૫૦ વિદ્યાર્થીઓ સંસ્કાર સભર આધુનિક શિક્ષણ મેળવે છે. જેમાં એનઆરઆઈ તેમજ આંતરરાજય રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, બિહાર વગેરેના મળી ૯૦ ઉપરાંત વિદ્યાર્થીઓ એસજીવીપીમાં સંસ્કારસભર શિક્ષણ મેળવી રહ્યા છે.

ત્યારે ભારતના કડક વલણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યુહાત્મક દબાણ વચ્ચે પાકિસ્તાને વાયુ સેનાના જાંબાજ વીંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુકત કરતા તે વાયુ સેનાના કમાન્ડરની બહાદુરીને બિરદાવવા માટે એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કુલના ૯૦ જેટલા એનઆરઆઈ વિદ્યાર્થીઓએ ભારત માતા કી જયના બુલંદ નાદ સાથે એસજીવીપી પરીસરમાં, વિશ્વમામ દેશોના લહેરાતા ઘ્વજ નીચે સલામી આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.