વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના સેવાભાવી કાર્યકર રાજેશકુમાર વી. મહેતાએ તેમના પિતાની સાતમી પુણ્યતિથિ નિમિતે ૭મી વખત રકતદાન કર્યુ હતુ. સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડબેંકમાં તેમના મેનેજીંગ ડિરેકટરની હાજરીમાં રકતદાન કરવામાં આવ્યુ હતુ. બ્લડબેંકમાંથી રકતદાન વિશે વોકહાર્ટમાં દાખલ પેશન્ટને બ્લડની તાત્કાલિક જરૂર હોય તે અંગે ફોન કરવામાં આવ્યો હતો. હાલ કોરાના મહામારીમાં રકતની અછતના સમયમાં રકતદાન કરવા બદલ બ્લડબેંકના એમ.ડી.એ. રાજેશભાઇ મહેતાને બિરદાવીને સન્માનિત કર્યા હતા. બ્લડ બેંકમાંથી ફોન આવ્યો કે બી. બ્લડગૃપની ખૂબજ જરૂરીયાત છે ત્યારે રાજેશભાઇ તાત્કાલિક પહોંચી ગયા હતા અને રક્તદાન કરીને ઓપરેશનમાં દર્દીને મદદરૂપ થયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર