Abtak Media Google News

મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

આખા દેશમાં કુમ્હાર પ્રજાપતિ વિભિન્ન રાજ્યોમાં વિપિન ભાષાઓ વિભિન્ન પોશાકો વિભિન્ન અટકળોથી રહે છે. જેમાં મોટાભાગે પરિવાર સામાજિક આર્થિક જેવી કેટલીક સમસ્યાઓથી ઘેરાયેલા છે. આમ આખા દેશમાં કુમ્હાર પ્રજાપતિ સમાજની વિભિન્ન સમસ્યાઓ અને તેના સમાધાન માટે પૂરા ભારતમાં પ્રજાપતિ સમાજના પ્રતિનિધિઓ આખા ભારતમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હરિદ્વાર થી તારીખ ૧૧ નવેમ્બર ૨૦૧૮ ના રોજ કુમ્હાર પ્રજાપતિ જનસંપર્ક અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે ભારતના ૨૯ રાજ્યોનું પરિભ્રમણ કરીને તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ નવી દિલ્હી ભારતના સંસદ ભવનમાં પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપીને સમાપ્ત થશે. આજે ૩૦ નવેમ્બરના રોજ આ જન સંપર્ક અભિયાન દરમિયાન આખા ભારતના કુમ્હાર પ્રજાપતિ સમાજના પ્રતિનિધ ફિરેરામ પ્રજાપતિ તથા રાજારામ પ્રજાપતિ તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ ને બુધવારના રોજ સવારે ૧૦:૦૦ ગાયત્રી મંદિર આમલી ખાતે પધાર્યા હતા. જ્યાં પ્રજાપતિ દક્ષિણ ગુજરાત ફાઉન્ડેશનના પ્રમુખ દિપક એમ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ દિલીપભાઈ એમ પ્રજાપતિએ સંઘ પ્રદેશમાં પોહાચ્યા પર ભવ્ય સ્વાગત કર્યું હતું. આ અવસર પર કુમ્હાર પ્રજાપતિ સમાજ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.