Abtak Media Google News

૨૦૧૯ સુધીમાં દેશના તમામ નાના શહેરોને માધ્યમથી જોડવા સરકારની કવાયત

માર્ગ, રેલ અને હવાઈ પરિવહન બાદ હવે સરકાર જળ પરિવહન પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા દેશમાં કોમર્શીયલ વ્યવસ્થા શરૂ કરવાની કવાયત સરકાર કરે છે. ક્ષેત્રીય કનેકટીવીટી માટે સરકારે માધ્યમથી ટ્રાન્સપોર્ટને મંજૂરી આપવાની તૈયારી દર્શાવી છે. મતલબ કે, હવે નાના નગરો વચ્ચે સીંગલ એન્જીનના મારફતે વ્યવહારો થઈ શકશે.

દેશમાં માટે સૌથી અનુકુળ પંથક સૌરાષ્ટ્ર બની રહેશે. જળમાર્ગની દ્રષ્ટીએ સૌરાષ્ટ્ર પાસે વિપુલ તકો છે. મારફતે ટ્રાન્સપોર્ટેશન અન્ય પરિવહન કરતા સસ્તુ અને સરળ બનશે. માર્ગ, રેલ અને હવાઈ પરિવહન ખૂબજ મોંઘુ છે. આવા પરિવહનને અવાર-નવાર મેન્ટેનન્સની જરૂર પડતી હોય છે. ઉપરાંત જોખમી પણ ઘણુ છે. જયારે જળમાર્ગે પરિવહન ખૂબજ સોંઘુ છે.

જળ પરિવહન માટે મોટાભાગે વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટની જ જરૂરીયાત રહે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો લાંબો છે. ઉપરાંત આંતર ક્ષેત્રીય પરિવહન માટે પણ સૌરાષ્ટ્ર યોગ્ય પંથક છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ઉડાન ભરી હતી. ત્યારબાદ ભારતમાં માધ્યમથી પરિવહનની ચર્ચા શ‚ થઈ છે. ક્ષેત્રીય કનેકટીવીટી માટે વધુ અનુકુળ હોવાનું સરકારના મનમાં છે.

સરકારે માધ્યમથી પરિવહન માટે ધારા ધોરણો ઘડવા અંગે નિર્ણયો લેવાની તૈયારી કરી છે. હાલ દેશમાં કોમર્શીયલ સર્વિસ નથી.

ઉપરાંત પાયલોટસને ટ્રેનીંગ માટેની સુવિધા પણ નથી. માટે જે દેશોમાં વધુ ઉપયોગમાં લેવાય છે તે દેશો પાસેથી પ્રેરણા લઈ આ ક્ષેત્રે વિકાસ કરવામાં આવનાર છે.

દેશમાં હાલ સીંગલ એન્જીનના એરોપ્લેનને એર એમ્બ્યુલન્સ તરીકે માન્યતા આપવામાં આવી છે. માટે શકયતાઓ પણ જોવાઈ રહી છે. જળ માર્ગ ભારત માટે સૌથી અનુકુળ પરિવહનનું સાધન બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.