Abtak Media Google News

  રાજકોટ શહેરની પાણીની સમસ્યા હવે નહિ સતાવે.મચ્છુથી નર્મદા નીર ત્રંબા માટે રવાના થઈ ગયા છે.ગુરુવાર વહેલી સવરે પુરતા ફોર્સથી પાણીનો જથ્થો આગળ વધી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ટેસ્ટીંગનો સમય હોવાથી શરૂઆતમાં એક જ પંપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.બાદમાં બીજો પંપ શરુ કરાશે.રસ્તો ઢાળ વાળો હોવાથી ધાર્યા કરતા ધીમી ગતિએ પાણી આગળ વધી રહ્યું છે..

  શુક્રવારે ત્રંબા ખાતે નર્મદા નીર પહોચી જશે અને ત્યાંથી નદી મારફતે રાજકોટ આજી ડેમ ખાતે પહોચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.