Abtak Media Google News

જાસપુર મંદિર ખાતે સાંજે મહાઆરતી

ભારતના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરનાર અને કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિકસમા અયોઘ્યામાં બનનાર રામજન્મભૂમિ મંદિરના ભૂમિપુજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે જગત જનની મા ઉમિયાના આશીર્વાદ સહ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિરના નિર્માણ માટે ભગવાન શ્રી રામના ચરણોમાં શુકન રૂપે ૧૧ કિલો ચાંદીની પાટ અર્પણ કરવામાં આવી છે.

આ સાથે રામજન્મભૂમિ મંદિરના ભૂમિપુજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્ર્વ ઉમિયાધામ મંદિર ખાતે સાંજે ૬.૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.