Abtak Media Google News

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ શહેરમાં આવેલા સર્વેશ્ર્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું હતું. આ તકે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર બીનાબેન આચાર્ય તથા શહેર ભાજપ મહિલા મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટની મુલાકાત દરમિયાન આજે વિજયભાઈ રૂપાણી અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.