Abtak Media Google News

કર્ણાટકના ગવર્નર મહામહિમ વજુભાઇ વાળાએ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની મધ્યાન્હ આરતી કરી ધન્ય બનેલ હતા. વજુભાઇ વાળા દરવર્ષે શ્રાવણમાં સોમનાથ દર્શને આવતા હોય છે. આજરોજ વજુભાઇ મધ્યાન્હ સમયે સોમનાથ પહોચ્યા હતા, ત્યારબાદ સોમનાથ મંદિર ખાતે તેઓએ આરતી, મહાદેવને અભિષેક,પૂષ્પો બિલ્વપત્રો અર્પણ કરેલ હતા. જ્યાર બાદ તેઓનુ શાલ ઓઢાડી સન્મા ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલુ હતુ. પોતાના વિચાર વ્યક્ત કરતા મહામહિમે જણાવેલ કે મહાદેવ એ આફતમાંથી બચાવનાર દેવ છે, અને શ્રાવણમાસમાં ભગવાન સોમનાથ દર્શન એ ખુબ પુણ્યદાયી છે. એવુ જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.