Abtak Media Google News

નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક મીડિયા હાઉસ’ના સૌજન્યથી

હોમીયોપેથી મેડિસીનનો ફકત એક જ ડોઝ સ્વાઈન ફલુ સામે એક વર્ષ માટે આપે છે રક્ષણ

સ્વાઈન ફલુની મહામારીનો કાળો કેર દિવસેને દિવસે વકરી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ તેમજ કચ્છ સહિતના સ્થળોએ અનેક લોકો સ્વાઈન ફલુનો શિકાર બની ચુકયા છે. ત્યારે ‘પ્રીવેન્સન ઈઝ બેટર ધેન કયોર’ની તર્જ ઉપર શહેરના વિવિધ સ્થળોએ તેમજ મેટોડા, શાપર-વેરાવળ અને ગોંડલમાં નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસના સૌજન્યથી હોમિયોપેથીક દવાના ડોઝ તા.૧૯મીથી વિનામૂલ્યે અપાશે.

હોમિયોપેથી દ્વારા રીસર્ચ કરાયેલી દવાનો ફકત એક જ ડોઝ લેવાથી સ્વાઈન ફલુ સામે એક વર્ષ માટે રક્ષણ મળશે. અમદાવાદના ક્ધસલ્ટીંગ હોમિયોપેથી ડો.ચૌલાબેન લશ્કરી (એમડી)એ સાત વર્ષના સંશોધન બાદ તૈયાર કરેલી સ્વાઈન ફલુની દવાના ડોઝનું માનવ સેવાના આશયથી નિ:શુલ્ક વિતરણ થશે.

સ્વાઈન ફલુની દવાના નિ:શુલ્ક વિતરણ કેમ્પના સ્થળ

સ્વાઈન ફલુના ભરડામાં વધુ લોકોનો ભોગ ન લેવાય તેવા હેતુથી અબતક મીડિયા હાઉસ અને નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ)ના સંયુકત ઉપક્રમે યોજાનાર હોમિયોપેથી દવાનો ડોઝ વિનામૂલ્યે મેળવવા આ સ્થળોએ કેમ્પ યોજાશે.

‘અબતક’ના અભિયાનને બિરદાવતા મ્યુનિ.કમિશનર

સ્વાઈનફલુની મહામારી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સ્વાઈનફલુને વકરતો અટકાવવા માટે પ્રજાના પ્રહરીસમા ‘અબતક’ મીડિયા તથા નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાઈનફલુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મ્યુનિ.કમિશનર બંછાનિધીપાનીએ અબતકના આ અભિયાનને બિરદાવ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા.

૧.તા.૧૯/૮/૨૦૧૭ને શનિવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ પથીકાશ્રમ, જવાહર રોડ, ઠાકર લોજની સામે, જયુબીલી ચોક રાજકોટ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક ઘનશ્યામભાઈ પંડયા મો.૯૩૭૪૧ ૦૩૫૨૭, ઓ.૦૨૮૧-૨૨૪૩૦૦૦.

૨.તા.૧૯/૮/૨૦૧૭ને શનિવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ સેવાશ્રમ, સોરઠીયા પરીવારની વાડીની બાજુમાં, બાપાસીતારામ ચોક નજીક, મવડી ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક દિનેશભાઈ મેઘાણી મો.૯૮૨૫૩ ૮૬૯૫૫, હેતલબેન સીનરોજીયા ઓ.૦૨૮૧-૨૩૭૮૦૦૦, પરસોતમભાઈ પાદરીયા મો.૯૯૨૪૬ ૦૩૫૫૫.

૩.તા.૧૯/૮/૨૦૧૭ને શનિવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ૩-મીલપરા મેઈન રોડ, રાજકોટ ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક સુજાતાબેન પરમાર મો.૯૩૭૪૪ ૨૯૯૯૭, રાજુભાઈ મીસ્ત્રી ઓ.૦૨૮૧-૨૩૩૭૦૦૦.

૪.તા.૧૯/૮/૨૦૧૭ને શનિવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ભોજલરામની વાડી, સંતકબીર રોડ, ત્રિવેણી ગેઈટની સામે, રાજકોટ ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક કરશનભાઈ ગઢીયા મો.૯૮૨૪૫ ૯૦૦૯૧, કાંતીભાઈ પરમાર મો.૯૯૦૪૫ ૭૯૬૨૩.

૫.તા.૨૦/૮/૨૦૧૭ને રવિવારે નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ રેવા-આશીષ, ૪-મહાવીરનગર સોસાયટી હોલ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક મો.રમેશભાઈ ટાંક મો.૯૯૨૫૦ ૪૭૬૪૫, જયેશભાઈ પરમાર મો.૯૭૩૭૪ ૨૬૬૭૧.

૬.તા.૨૦/૮/૨૦૧૭ને રવિવારે પુજીત ‚પાણી મેમોરીઅલ ટ્રસ્ટ કિલ્લોલ, ૧-મયુરનગર, આર.એમ.સી. ઈસ્ટ ઝોન ઓફિસની સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક મો.ભાવીનભાઈ ભટ્ટ મો.૯૪૨૬૯ ૯૮૭૦૧, નિરદભાઈ ભટ્ટ મો.૮૧૬૦૯ ૭૧૮૦૪.

૭.તા.૨૦/૮/૨૦૧૭ને રવિવારે મેટોડા જી.આઈ.ડી.સી. જી-૫૦૧, ડેકોસ ભવન, કિસાન ગેટ, મેટોડા ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક એચ.એમ.કંદેસરીયા મો.૯૮૨૫૧ ૩૩૬૬૯, વિનુભાઈ પટેલ મો.૯૯૦૪૩ ૫૦૫૦૦.

૮.તા.૨૦/૮/૨૦૧૭ને રવિવારે ભારતીય જનતા પાર્ટી (રાજકોટ મહાનગર) નરેન્દ્રકુંવરબા સ્કુલ, કરણપરા ચોક, પ્રહલાદ રોડ, રાજકોટ ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક કમલેશભાઈ મિરાણી મો.૯૭૧૪૭ ૦૭૧૧૩, જીતુભાઈ કોઠારી મો.૯૮૨૫૦ ૭૬૩૧૬.

૯.તા.૨૧/૮/૨૦૧૭ને સોમવારે કાસુમા બેરીંગ્સ પરફેકટ વે-બ્રીજની પાછળ, નવી જી.ઈ.બી. ઓફિસની પાછળ, વેરાવળ (શાપર) ખાતે ૮ થી ૬ વાગ્યે, સંપર્ક ધર્મેન્દ્રભાઈ રાવલ મો.૯૮૨૫૨ ૧૨૩૬૪, રસીકભાઈ વ્યાસ મો.૯૯૭૯૭ ૫૪૭૫૯.

૧૦.તા.૨૧/૮/૨૦૧૭ને સોમવારે ખાદીગ્રામ ઉધોગ પ્રાર્થના હોલ, ઉધોગભારતી ચોક, ગોંડલ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક રાજુભાઈ જોષી મો.૯૮૯૮૬ ૭૨૭૫૦, પંચમીયાભાઈ મો.૯૮૯૮૨ ૯૩૫૮૦

૧૧.તા.૨૧/૮/૨૦૧૭ને સોમવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પાલવ સ્કુલ ‘પાલવ સ્કુલ’ વિનોદનગર, પાણીના ટાંકાની પાસે, રાજકોટ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક જગદીશભાઈ દોંગા મો.૯૯૭૮૩ ૮૫૨૧૧, ભરતભાઈ દોંગા મો.૯૦૧૬૦ ૩૫૩૧૯

અબતકના અભિયાનને બિરદાવતા મ્યુનિ.કમિશનર

સ્વાઈનફલુની મહામારી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સ્વાઈનફલુને વકરતો અટકાવવા માટે પ્રજાના પ્રહરીસમા ‘અબતક’ મીડિયા તથા નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાઈનફલુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.