રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૦ દિવસ થયા રાજયના વિવિધ ગામોમાં સિંચાઈ અને પીવાનું પાણી એકત્ર થાય તે માટે સુજલામ સુફલામ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિવિધ તળાવો સ્વૈચ્છિક સંસ્થાના સહકારથી ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઈકાલે મળેલી ઉપલેટા માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરોની મિટીંગમાં સર્વાનુમતે ખેડુતોના હિતને ધ્યાનમાં રાખી ઉપલેટા વિસ્તારના તળાવો ઉંડા ઉતારવા માટે રૂપિયા અઢી લાખનું ભંડોળ ફાળવવામાં આવેલ હતું ત્યારે ધોરાજીના પ્રાંત અધિકારીને ચેક અર્પણ કરતા ઉપલેટા યાર્ડના પ્રમુખ માધવજીભાઈ પટેલ, વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, સેક્રેટરી રાજભાઈ ઘોડાસરા ઉપસ્થિત રહ્યા હતા. રાજય સરકારના મંત્રી જયેશભાઈ રાદડીયા અને ઈન્ચાર્જ પ્રવિણભાઈ માકડિયા અભિયાનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- તો આ છે આદિનાથજી અને અક્ષય તૃતીયાનો મહિમા
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!
- મુંબઈમાં વર્ષી તપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણા મહોત્સવ
- અંતે 40 દિવસ બાદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
- Motorolaનો Moto G Stylus 5G 2024 Smartphone થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
- કેલ્શીયસ કાર્બાઇડ કે અન્ય અમાન્ય કેમિકલથી ફળ તો નથી પકાવાતાને?
- વર્ષે 1 લાખમાંથી 15 બાળકો કેન્સરની જીવલેણ બિમારીનો બને છે ભોગ
- AI વૉઇસ આસિસ્ટન્ટ સાથેની Smartwatch આવી ગઈ