Abtak Media Google News

તાપી જિલ્લાનાં નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહભાગી થયા: મુખ્યમંત્રીના હસ્તે રૂ.૪૬ લાખના વિવિધ લાભોનું વિતરણ

મુખ્યયમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે. આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃરતિના સંવર્ધન અને જતન માટે રાજય સરકાર સંકલ્પબદ્ધ છે. તાપી જિલ્લાના નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્ય મંત્રી સહભાગી થયા હતા. આદિવાસી સમાજની વિશાળ ઉપસ્થિતિમાં મુખ્યસમંત્રીએ આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્ય્મંત્રીના હસ્તેત રૂા .૪૬ લાખના વિવિધ લાભોનું વિતરણ સાથે રમતગમત, શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનું મુખ્યમંત્રીના હસ્તેિ સન્માન કરવામાં આવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો કે, આદિવાસી સંસ્કૃતિની વિરાસતના જતન માટે રાજપીપળા ખાતે રૂા.૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે ૪૦ એકર વિસ્તારમાં બિરસા મૂંડા આદિવાસી યુનિવસિર્ટીના નિર્માણ સો આદિવાસી સંસ્કૃતિનું જનત થશે.

ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા રાજય સરકાર કટિબદ્વ છે. આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્યે  સંવેદના છે. તેમનામાં આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રભક્તિ પડેલી છે. અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વ્હોમરી છે. એવા આદિવાસી સમાજના સમરસ વિકાસ માટે રાજય સરકાર સંકલ્પબદ્વ હોવાનું મુખ્યામંત્રીએ જણાવ્યુંમ હતું.

મુખ્યમંત્રીએ આદિવાસી સમાજના મહિસા બિરસા મુંડાને આદરાંજલિ આપી હતી. આદિવાસીઓના આઝાદીના ભવ્ય ઇતિહાસને વાગોળતા તેમણે જણાવ્યું  હતું કે, સોમના મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસીવીરોની બલિદાન એળે જવા દેશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામેલ લડયા હતા. ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કૂરબાની આપી છે.

અગાઉની સરકારોએ કયારેય આ વીર સપૂતોને યાદ કર્યા નથી. આ સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઊજાગર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજયના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પરંપરાને આગળ વધારી છે. ૧૯૬ જંગલના ગામોને રેવન્યુે ગામો જાહેર કર્યા છે. હવે ગુજરાતનો આદિવાસી વૈશ્વિક પડકારો ઝીલીને વૈશ્વિક ફલક પર અગ્રેસર બની, રાજય-રાષ્ટ્રમાં ભાગીદાર બનશે તેવી તેમ મુખ્યંમંત્રીએ વ્યકત કરી હતી.

આદિવાસી ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય  સહિત માળખાકીય સવલતો છેવાડાના માનવીને આપી છે. ૨૦૦૨માં સાત એકલવ્યં મોડેલ સ્કુલ હતી, જે આજે ૯૧ છે. ૨૦૦૧ના વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં ૪૭ ટકા શિક્ષણ હતું, જે વધીને ૨૦૧૧માં ૬૨ ટકા થયું છે. આ સરકાર ગરીબો, પીડિતો, આદિવાસીઓના હિતની સંવેદનશીલ સરકાર છે.

વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે માજી સાંસદ બાલકૃષ્ણી શુકલા, માજી મંત્રી કાંતિભાઇ ગામીત, માજી ધારાસભ્ય  પરેશભાઇ વસાવા, માજી સંસદીય સચિવ શુભાષ પાડવી, સુમુલ ડેરીના વાઇસ ચેરેમેન રિતેશ વસાવા, સેનેટ મેમ્બાર જયરામભાઇ ગામીત, અધિકારીઓ સહિત આદિવાસી આગેવાનો, વિશાળ સંખ્યાવમાં આદિવાસી સમુદાય અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.