Abtak Media Google News

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિનની

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ ઉપલેટા-ધોરાજી-જેતપુર-ગોંડલ-જસદણ ખાતે અટલજીને પુષ્પાંજલિ તથા સેવા વસ્તીમાં કાર્યક્રમો યોજાશે

રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ,ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અજાતશત્રુ શ્રદ્ધેયશ્રી અટલ બિહારી વાજપેયીજીની તા.૨૫ ડિસેમ્બર  જન્મજયંતિ નિમિતે રાજકોટ જીલ્લા ભાજપ અધ્ય્ક્ષ ડી.કે.સખીયાના અધ્ય્ક્ષ સ્થાને રાજકોટ જીલ્લા ભાજપ કાર્યલય ખાતે અટલજીને પુષ્પાંજલિ તેમજ દર વર્ષની માફક આ વર્ષે પણ સિવિલ હોસ્પીટલ ખાતે જનાના હોસ્પીટલ, બાળકોની હોસ્પિટલ,આંખની હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ સેવા વસ્તીમાં સેવાકીય કાર્યક્રમો યોજાશે.

ઉપરાંત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ૧,ઉપલેટા શહેર /તાલુકો અને ભાયાવદર શહેર નો કાર્યક્રમ ઉપલેટા ખાતે ૨, ધોરાજી શહરે / તાલુકાનો કાર્યક્રમ ધોરાજી ખાતે ૩, જેતપુર શહરે/તાલુકો અને જામકંડોરણા તાલુકાનો કાર્યક્રમ જેતપુર ખાતે ૪, ગોંડલ શહરે / તાલુકા નો કાર્યક્રમ ગોંડલ ખાતે ૫, જસદણ શહરે /તાલુકો અને વિછીયા તાલુકાનો કાર્યક્રમ જસદણ ખાતે તેમજ રાજ્કોટ તાલુકો, કોટડા સાંગાણી તાલુકો, લોધીકા તાલુકો અને પડધરી તાલુકા નો કાર્યક્રમ જીલ્લા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ તથા સેવા વસ્તી કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

રાજકોટ જીલ્લામાં અટલજી ના જન્મદિવસને સુશાસન દિવસ અંતર્ગત સેવા વસ્તીમાં સેવાકીય કાર્યક્રમો, સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, સ્વછતાના કાર્યક્રમો, એકજ વખત ઉપયોગ કરી શકાય તેવા પ્લાસ્ટિકનો આપણી જીવન શેલીમાં ઉપયોગ ન કરવો તેમજ નવા ભારત અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવશે.

7537D2F3 19

ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર /રાજ્ય / જીલ્લા કક્ષાએ થઈ રહેલ વિકાસ કામો તેમજ જનકલ્યાણ યોજનાઓ અને સિદ્ધિઓ અંગેની પ્રજાજનોને જાણ કરી આપવામાં આવશે.

  1. ઉપરોક્ત કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા તાલુકા મંડલના પ્રમુખ મહામંત્રી  તથા  સર્વે ઉપસ્થિત રહી અટલજીને પુષ્પાંજલિ અર્પશે જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.