Abtak Media Google News

દેવળી ગામના યુવાન રજનીભાઇ મોરી નું એક વર્ષ પહેલા અકાળે અવસાન થયું હતું. આજે તેઓની પ્રથમ પુણ્યતિથિ એ ગામજનો દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તદાન એ મહા દાન છે એ ઉક્તિને ચરિતાર્થ કરતું કાર્ય આજે ગીર સોમનાથ ના દેવળી ગામના લોકોએ સાર્થક કર્યું હતું..
એક વર્ષ પહેલા ગામના યુવાન રજનીનું અકાળે અવસાન થયું હતું. આ યુવાન ની યાદમાં ગામલોકો એ આજે સાથે મળી ગામના કોમ્યુનિટી હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું.
આ શિબિરમાં સવારે 8 થી બપોરે 12 સુધીમાં ગામના 125 જેટલા યુવાનો એ પોતાના રક્તનું દાન કર્યું અને સાંજ સુધીમાં 200 થી વધુ ગ્રામજનો રક્તદાન કરી ને સ્વ. રજનીભાઈને  તેની પ્રથમ પુણ્ય તિથિ એ શ્રધ્ધાંજલી અર્પણ કરી…
આ રક્ત એકઠું કરવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ના નિષ્ણાંતો એ સેવા આપી હતી. એકઠું થયેલું તમામ બોટલ રક્ત જૂનાગઢ સિવિલ સ્થિત બ્લડ બેંકે લઇ જવાશે. અને જરૂરિયાત મંદ પેશન્ટને પૂરતી ચકાસણી બાદ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.