Abtak Media Google News

આજે શ્રાવણ વદ પાંચમ ને શનિવારના દિવસે નાગ પાંચમ છે. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો અને વ્રતો અને સંસ્કારો સાથે ખાસ સંબંધ રહેલો છે. વેદોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન આર્ય પ્રજા પણ વ્રતો અને ઉપવાસ કરતા અનેક દરેક પશુપક્ષીની પૂજા કરતા આથી સુખી હતા આને જ કારણે આપણો હિન્દુધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મહાદેવજીપણ પશુઓને આદર આપતા આથી જ પશુપતી નાથ કહેવાય છે.મહાદેવજીએ સર્પ ધારણ કર્યો છે. ભગવાન કૃષ્ણે ગીતામાં કહેલુ છે નાગોમાં હું વાસુકી નાગ છું સમુદ્ર મંથન વખતે નાગે સાવન રૂપ બની પ્રભુકાર્યમાં લોકહિત કાર્યમાં મદદ રૂપ બની અને સમુદ્રમાંથી અમૃત મેળવામાં ભગવાન અને દેવોને વાસુકી નાગે જ મદદ કરેલી. ભગવાન વિષ્ણુપણ સમુદ્રમાં શેષ નાગની શૈયામાં શયન કરે છે

નાગ પાંચમના દિવસે સવારના વહેલા ઉઠી નિત્ય કર્મ કરી ઘરના પાણીઆરે અથવા મંદિરે દિવો કરી બાજરાની કુલેર નાળીયેર સાથે તલવટ કરી આગલા દિવસે પલાળેલા મગ, મઠ, કઠોરનું નૈવેધ ધરાવું એકટાણું કરવું પૂજન કરતી વખતે નવકુળ નાગદેવતા આ નવ નામ અનંત, વાસુકી, શંખ, પદ્મનાભ, કંઠળલ, શેખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કપીલ, પીંગલ, બોલવાથી શુભફળ પ્રાપ્ત થાય છે. આજે નાગપંચમીની વાર્તા સાંભળવી.નાગ પાંચમના દિવસે જે કોઈ લોકોને જન્મકુંડળીમાં નાગદોષ હોય કાલસર્પ યોગ પિતૃદોષ હોય તેમણે નાગપાંમનું વ્રત રહેવાથી નાગનુ પૂજન કરવાથી રાહત મળે છે. જે લોકોને ભયાનક સપના આવતા હોય તો તે દૂર કરવા માટે નાગ પંચમીનું વ્રત કરવાથી રાહત મળે છે. જન્મકુંડળીમાં રાહુ નબળો હોય પાંચમા સ્થાનમાં હોય તો પણ નાગપાંચમીનું વ્રત કરવાથી અને સાથે મહાદેવજીની પૂજા કરવાથી રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.