Abtak Media Google News

બેટદ્વારકાધીશ જગત મંદિરમાં આજરોજ છપ્પન ભોગ મનોરથ દર્શનનું આયોજન કરાયું છે જે અનુસંધાને ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર નોંધાયો છે. જેમાં ઠાકોરજીની મંગલા આરતી સવારે ૬:૦૦ કલાકે, ઠાકોરજીની શૃંગાર આરતી સવારે ૮:૦૦ કલાકે છપ્પનભોગ મનોરથ દર્શન બપોરે ૧૨:૩૦ થી ૨:૦૦ વાગ્યા સુધી (સાંજે ૫ થી ૭) પણ દર્શન થશે. ઠાકોરજીના ઉત્થાપન દર્શન સાંજે ૫:૦૦ કલાકે તેમજ ઠાકોરજીના શયન રાત્રે ૮:૦૦ કલાકે યોજાનાર છે.

તમામ વૈષ્ણવોને ઠાકોરજીના ઉત્સવ દર્શનનો લાભ લેવા દેવસ્થાન સમિતિની યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.