Abtak Media Google News

આજકાલ ઘણા બધાને નબળી દ્રષ્ટિને લીધે ચશ્માં પહેરવા પડે છે અને લાખો પ્રયત્નો કરવા છતાં પણ ચશ્માથી છુટકારો નથી મેળવી શકતા. વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરતા કે ચોપડી, ટીવી જોતા રહેવાથી તમારી આંખ દુખવા લાગે છે, તો તે તમારા માટે એક સંકેત હોઈ શકે છે. તેવામાં આંખોની રોશની નબળી હોવાને લીધે તમારી આંખો ઉપર ચશ્માં આવી જાય છે. પણ અમુક લોકોને પહેલેથી જ ચશ્માં આવેલા હોય છે તે શું કરે? શું તમે ચશ્માંથી છુટકારો મેળવવા માગો છો તો અમે તમને જણાવી એ કે આંખોની રોશની વધારવા અને ચશ્માં દુર કરવાના ઘરેલું ઉપાય જેનાથી તમે સરળતાથી ચશ્માંથી છુટકારો મેળવી શકશો.

• ત્વચાને ચમકતી રાખવામાટે આંબળાનો ફેસપેક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો

• આંબળાનું જ્યુસ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો

Amla  આંબળામાં ભરપુર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટ મળી આવે છે. અને આંબળામાં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન્સ, વિટામિન્સ ‘એ’, ‘બી’ કામ્પ્લેક્સ, મેગ્નેશિયમ , વિટામીન ‘સી’, આયરન, આંબળામાં વિટામીન ‘સી’ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. નારંગીથી ૨૦% વધુ વિટામીન ‘સી’ હોય છે અને તેને ગરમ કરવાથી પણ તેના વિટામીન નાશ પામે છે. આયુર્વેદ મુજબ જો રોજ આંબળા નું સેવન, આંખોને કસરત અને પ્રાણાયામ કરવામાં આવે તો આંખો માં ચશ્માં 100 ટકા દુર કરી શકાય છે. જો આંખોમાં ચશ્માં આવી ગયા છે તો રોજ આંબળાનું સેવન કરવાથી આંખોના ચશ્માં એક મહિનાની અંદર ઉતરી જાય છે. તેના માટે આંબળાનું સેવન કોઈપણ પ્રકારે કરવામા આવી શકે છે

આંબળાનો મુરબ્બો, આંબળા કેંડી, આંબળા ચૂર્ણ, કે આંબળાનું જ્યુસ પણ પીવાથી આંખોના ચશ્માં ઉતરી જાય છે. આંખોમાં ઝાખું દેખાય છે તો રોજ સફેદ ડુંગળીનો રસ આદુનો રસ અને મધ ત્રણે ના એક એક ટીપા આંખોમાં નાખવાથી આંખોની રોશની તેજ થાય છે. પહેલા એક વાટકીમાં સરસીયાનું તેલ લઈને તેને બન્ને પગના અંગુઠા ડુબાડીને 10 મિનીટ સુધી રાખો રોજ આમ કરવાથી આંખોની રોશની વધે છે. તે ઉપરાંત સાંધાના દુઃખાવામાં સરસીયાના તેલનું માલીશ કરવું ખુબ ફાયદાકારક હોય છે. અને સરસીયાના તેલના સેવનથી અંદરના દર્દમાં પણ આરામ મળે છે. રાત્રે સુતી વખતી પગના તળીયે સરસીયાના તેલનું માલીશ કરો અને આંખોની નીચે સરસીયાનું તેલ લગાવો તેનાથી નેત્ર જ્યોતિ વધે છે સાથે આંખોમાં આવતી ખંજવાળ બંધ થઇ જાય છે.

મધથી આંખોને કાજળ લગાવવાથી આંખોમાં પાણી આવવું, આંખોમાં બળતરા બંધ થઇ જાય છે તથા નેત્ર જ્યોતિ વધે છે. કેમ કે મધ કે મધુ કાયમથી રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતું એક સ્વાદિષ્ઠ ખાદ્ય પદાર્થ રહ્યો છે, સાથે જ સદિયોથી એક મહત્વપૂર્ણ ઔષધી તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. દુનિયાભરમાં આપણા પૂર્વજ મધના ઘણા લાભોથી સારી રીતે પરિચિત હતા. એક ઔષધી તરીકે તેનો ઉપયોગ સૌથી પહેલા સુમેરી માટીના ટેબલેટો માં મળી આવેલ હતું જે આશરે 4000 વર્ષ જુનું છે. લગભગ 30 ટકા સુમેરી સારવારમાં મધનો ઉપયોગ થાય છે. ભારતમાં મધ શુદ્ધ અને આયુર્વેદિક સારવારનો એક મહત્વપૂર્ણ અંગ છે જે સારવારની પારંપરિક પદ્ધતિઓ છે. પ્રાચીન યુગમાં તેને ચામડી અને આંખોની બીમારીઓમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું અને ઘા તથા દાઝવાના ડાઘ ઉપર કુદરતી બેન્ડેજ તરીકે લગાવવામાં આવતું હતું.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.