Abtak Media Google News

રામકૃષ્ણ ચોક નજીક રાજકુમાર કોલેજ સામે આજે કોઈ અજાણ્યા ટીખળખોરોએ ટીસીની નીચે મુકવામાં આવેલી પેટી ઉપર કચરાને આગ ચંપી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે પેટી ઉપર આગ લાગી ગઈ હતી. આ મામલે પીજીવીસીએલને તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા બન્ને વિભાગોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

બાદમાં ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ટીખળખોરોના આ કૃત્યથી જાનહાની થતા સહેજમાં અટકી હતી. કારણ કે, ટીસીની નીચે આગ લગાવ્યા બાદ મોટી દુર્ઘટના સર્જાવાની શકયતા હતી પરંતુ ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને આગ ઓલવી નાખતા આ દુર્ઘટના ટળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.