Abtak Media Google News

પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

ધ્રાંગધ્રા શહેરમાં ખંડણી ખોરોનો આતંક વધ્યો છે. ત્યારે ધ્રાંગધ્રાના પથ્થરના વેપારી હિતેશભાઈ ત્રીવેદીના ધીરે ત્રણ યુવાનો ધસી થઈ છરી બતાવી પાંચ લાખની ખંડણી માગી અને ૬ હજાર રૂપીયા લુટીને લઈ ગયા હતા. આ બનાવની સીટી પોલીસમા વેપારીએ ફરીયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ હતી.

ધ્રાંગધ્રા શહેરમાં દિનપ્રતીદીન ખંડણીખોર અને લુખ્ખાતત્વોનો ત્રાસ વધતા અનેકવેપારીઓ પરેશાન થઇ ગયા છે. ત્યારે ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રહેતા વેપારી હિતેશભાઈ ત્રિવેદીના ઘરે આરોપી નીજામભાઈ ધાચી, શોયબભાઈ બાદશાહ અને અફઝલભાઈ રહીમભાઈ ફરીયાદીને છરી દેખાડી પાંચલાખની ખંડણી માંગી અને વેપારી પાસેથી ૬ હજાર રૂપીયા લુટી લઈને વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા. ત્યારે વેપારી દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ત્રણ આરોપી સામે ફરીયાદ નોંધાવમાં આવી છે.

ધ્રાંગધ્રા શહેરમાં ખંડણીખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માઞણી ઉઠી છે. આ બનાવને લઈને વેપારીઓ ફફડાટ વ્યાપી ગયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.