Abtak Media Google News

મોરબી : મોરબીમાં ખોટા નામ ધારણ કરી સીરામીક વેપારી સાથે રૂ.૧૬.૨૯ લાખની ઠગાઈ કરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં આ આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે બન્ને આરોપીઓના  બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સીરામીક વેપારીને સસ્તા ભાવે ટાઇલ્સ આપવાની લાલચ આપી રૂ ૧૬.૨૯ લાખનું એડવાન્સ પેમેન્ટ લઈને માલની ડિલિવરી ન આપી ઠગાઈ કરનાર યાજ્ઞિક ઉર્ફે યુવરાજ ઉર્ફે બંટી વાસુદેવભાઈ નિમાવત, યશપાલ વાસુદેવભાઈ નિમાવત રહે.

બન્ને મોરબી તેમજ ચિરાગ વિનોદભાઈ તપસ્વી રહે. અમદાવાદ વાળાઓને ગણતરીના સમયમાં એલસીબીની ટીમે મુંબઈથી પકડી પાડયા હતા જેમા ત્રણે શખ્સો ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના ટાઇલ્સના વેપારીઓ તથા ફેકટરી વાળાને ટાઇલ્સના વેપારી હોવાની ખોટી ઓળખ આપીને સસ્તા ભાવે ટાઇલ્સ આપવાની લાલચ બતાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યું હતુ.

તાલુકા પીએસઆઈ આર.એ.જાડેજાની તપાસ દરમ્યાન વધુ ગુનાઓ ખુલે તેવી સંભાવનાઓ ના આધારે આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટ મા રજુ કરાતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરતા તાલુકા પીએસઆઈ આર.એ.જાડેજા એ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.