Abtak Media Google News

મુમતાઝ જહાન બેગમ ડેહલાવી , કે જેઓ તેમના સ્ટેજના નામ મધુબાલાથી  જાણીતા છે તેઓ હિંદી ચલચિત્રની જાણીતી અભિનેત્રી હતાં. તેમણે 1950ના દાયકા અને 1960ના દાયકાના પ્રારંભમાં વિવિધ સફળ ચલચિત્રોમાં અભિનેત્રી તરીકે અભિનય આપ્યો હતો, જેમાંની અસંખ્ય ફિલ્મોએ ઉત્તમ દરજ્જો પ્રાપ્ત કર્યો છે. તેમની જ પેઢીના નરગીસ અને મીના કુમારી સાથે, બહોળા પ્રમાણમાં હિન્દી ફિલ્મોની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક તરીકે તેમની ગણના થાય છે.

મધુબાલાનો જન્મ મુમતાઝ જહાન બેગમ દેહાલ્વી તરીકે નવી દિલ્હી, ભારત ખાતે 14 ફેબ્રુઆરી 1933ના રોજ અફઘાનિસ્તાનના મુસ્લિમ પરિવારમાં થયો હતો, જે કાબુલના નવાબી પરિવારનું એક સભ્ય અને મોહમ્મદઝાયના શાહી રાજવંશની એક શાખા હતી, તેમના દાદા-દાદીને અફઘાનિસ્તાનના લશ્કર દ્વારા ભારતમાં દેશવટો આપવામાં આવ્યો હતો. તેઓ સંકુચિત મુસ્લિમ દંપતીના અગિયાર બાળકોમાં પાંચમુ બાળક હતા.

મધુબાલાને 1950માં લોહીની ઊલટીઓ થતા હૃદયની મુશ્કેલી હોવાનું બહાર આવ્યું હતું. તેઓ જન્મથી જ વેન્ટ્રીક્યુલર સેપટલ ખામી, કે જે સામાન્ય રીતે “હૃદયમાં કાણું” હોવા તરીકે ઓળખાય છે તે ધરાવતા હોવાનું મળી આવ્યું હતું. તે સમયે, હૃદયની શસ્ત્રક્રિયા બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ ન હતી.

મધુબાલાએ તેની માંદગીને ફિલ્મ ઉદ્યોગથી વર્ષો સુધી છૂપાવી હતી, પરંતુ 1954માં અખબારો એક બનાવનો મોટા પાયે અહેવાલ આપવામાં આવ્યો હતો: તેઓ જ્યારે મદ્રાસ ખાતે એસ.એસ. વાસનની બહુત દિન હુયે ફિલ્મમાં ફિલ્માંકન કરી રહ્યા હતા ત્યારે ફિલ્મના સેટ પર લોહીની ઊલટી થઇ હતી. વાસન અને તેમના પત્નીએ તેઓ જ્યાં સુધી ફરી સારા ન થયા ત્યાં સુધી તેમની સંભાળ લીધી હતી. તેણીએ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું અને પોતાની જાતને એ-ગ્રેડની અભિનેત્રી તરીકે સ્થાપિત કરી હતી.

મધુબાલાનો પરિવાર તેણીની આરોગ્ય સમસ્યાને કારણે તેણીની ખૂબ સભાળ લેતો હતો. સ્ટુડીયો ખાતે ફિલ્મીંગ કરતી વખતે ચેપનું ઓછામાં ઓછું જોખમ રહે તે હેતુથી, તેઓ ફક્ત ઘરે બનાવેલો ખોરાક જ ખાતા હતા અને ચોક્કસ કૂવાનુ જ પાણી પીતા હતા. પરંતુ તેમની સ્થિતિ વધુને વધુ કથળતી રહી અને 1969માં 36 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. 1950ના દાયકામાં મોટે ભાગે મધુબાલાએ તેમની માંદગીને બાદ કરતાં સફળતાપૂર્વક કામગીરી કરી હતી.

1960માં મધુબાલાની તબિયત વધુ ખરાબ થતા લંડનમાં સારવાર લીધી હતી. જટિલ હૃદય વાઢકાપ તેના પ્રાથમિક તબક્કામાં હતી અને તેણીને સાજા થવાની થોડી આશા આપી હતી. તપાસ કર્યા બાદ ત્યાંના ડોકટરોએ ઓપરેશન કરવાની ના પાડી હતી, તેણીને અસ્તિત્વ ટકાવી રાખવાની તકોની પ્રક્રિયા ઓછી હતી તેવું સમજાવ્યું હતું.તેમની સલાહ એવી હતી કે તેણીએ આરામ કરવો જોઇએ અને વધુ પડતો શ્રમ ટાળવો જોઇએ અને તેણી હજુ વર્ષ સુધી જીવી શકશે તેવી આગાહી કરી હતી. પોતાનું મૃત્યુ માથે તોળાઇ રહ્યું છે તેવું જાણતા મધુબાલા ભારત પરત આવી હતી, પરંતુ બીજા નવ વર્ષો સુધી જીવીને આગાહીઓને પડકાર ફેંક્યો હતો.

1966માં તેણીના આરોગ્યમાં થોડો સુધારો થતા, મધુબાલાએ રાજ કપૂરની સામે ચાલાક માં કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફિલ્મ માધ્યમોએ તેણીના “પાછા ફરવાની” ઘટનાને ભારે ધામધૂમ અને જાહેરાતથી ગુણગાન ગાયા હતા. આ સમય પરથી લીધેલા સ્થિર ફોટોગ્રાફ દર્શાવવામાં આવ્યા હતા તે હજુ પણ સુંદર હતા, પરંતુ તેમાં મધુબાલા નિસ્તેજ અને અસ્પષ્ટ દેખાતી હતી. જોકે, થોડા દિવસના જ ફિલ્માંકનમાં તેણીની નાજુક તબિયત લથડીયામાં પરિણમી હતી ફિલ્મ અધૂરી અને અપ્રસિદ્ધ રહી હતી.

જ્યારે ભૂમિકા એક વિકલ્પ તરીકે પૂરી થઇ ગઇ હોવાથી, મધુબાલાએ તેનું ધ્યાન ફિલ્મ બનાવવા તરફ વાળ્યું હતું. 1969માં ફર્ઝ ઔર ઇશ્ક નામની ફિલ્મમાં તેણી પ્રથમ વખત પોતાનું દિગ્દર્શન કરવા સજ્જ હતી. જોકે તે ફિલ્મ કદી પણ બનાવવામાં આવી ન હતી, કેમ કે નિર્માણ પહેલાના તબક્કા દરમિયાનમાં મધુબાલાને અંતે તેની માંદગી સામે વશ થઇ જવું પડ્યું હતુ અને તેણી 36મી જન્મજયંતિ પછી ટૂંકા ગાળામાં 23 ફેબ્રુઆરી 1969ના રોજ તેનું મૃત્યું થયું હતું. તેણીને તેના પરિવારની ડાયરી અને પતિ કિશોર કુમાર સાથે સાન્તા ક્રૂઝ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી. જુહુ/સાન્તાક્રૂઝ મુસ્લિમ કબ્રસ્તાન ખાતે મધુબાલાના મકબરાને શુદ્ધ મારબલમાં કોતરવામાં આવ્યો છે અને કુરાનના આયત તેમજ સંક્ષિપ્ત કવિતા તેણીને સમર્પિત કરવામાં આવી છે. વિવાદાસ્પદ રીતે, નવી કબરો માટે જગ્યા કરવા માટે 2010માં તેના મકબરાનો નાશ કરવામાં આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.