Abtak Media Google News

બોટાદ જીલ્લાના રાણપુર પાસે રાજપરા ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર અકસ્માત સ્થળેથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં ૬ મહિનાના બાળકનું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જયારે બાળકના માતા-પિતાને ગંભીર ઈજા થતા તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ રાણપુર પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે રાણપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાણપુરના રાજપરા ગામનું પાટીયુ અને નર્મદા કેનાલ વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સતીષ હસમુખભાઈ (ઉ.વ.૬૨) (રહે.કાનીયાડ)ને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે બાળકના પિતા હસમુખભાઈ રાયસંગભાઈ અને તેમના પત્ની કાજલબેન હસમુખભાઈને ગંભીર ઈજા થતા ધંધુકાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. બનાવની વધુ તપાસ રાણપુર પી.એસ.આઈ એ.પી.સલૈયા કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.