Abtak Media Google News

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત રાજય અને રાજકોટ જિલ્લામાં એકતાયાત્રાનો બીજા તબક્કાનો કાર્યક્રમ આગામી તા.૧૫ નવેમ્બર થી તા. ૨૦ નવેમ્બર સુધી યોજાનાર છે. આ કાર્યક્રમમાં રાજયના બાકી રહેલા મહાનગરપાલિકા, નગરપાલિકા, નગરપંચાયત અને ગ્રામ્ય વિસ્તારના વધુ વસતિ ધરાવતા ગામોને આવરી લેવામાં આવશે.

૧૫ ના રોજ રીલોન્ચીંગના યોજાનાર કાર્યક્રમમો રાજયના વિવિધ સ્થળોના મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, મંત્રીઓ અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં યોજાશે.

આ બીજા તબક્કાના એકતા યાત્રામાં એક રૂટમાં બે ર રહેશે. પ્રથમ એડવાન્સ રમાં સાંસ્કૃતિક કલ્ચર માટે કલાકારો અને એલઇડી દ્વારા ૧૨ મિનિટની ફિલ્મ બતાવાશે. આ ફિલ્મ ગત તા. ૩૧ ઓકટોબરના રોજ નર્મદા ડેમ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રને લોકાર્પણ કર્યુ હતું. તે પ્રસંગની ફિલ્મ દર્શાવાશે અને બીજા મુખ્ય રથમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.