Abtak Media Google News

ઉંમર સંબંધિત બિમારીઓનાં કારણે ‘રાજમાતા’નું મોત થયું

૭ વખત ગર્ભવતી થઈને ૧૫ સિંહબાળને જન્મ આપ્યો હતો અમરેલીના લીલીયા ક્રાંકચમાં ૫૦-૬૦ સિંહ-સિંહણો ‘રાજમાતા’નો વંશ હોવાનું તારણ

એશિયામાં સૌથી લાબુ જીવનાર સિંહણ રાજમાતાનું ૨૦ વર્ષની ઉંમરે મોત થયું છે. પાલિતાણા નજીક વડશલ એનિમલ કેર સેન્ટરમાં તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેની ઉંમર સાથે અન્ય જે બાબતથી લોકો ચોકી ઉઠ્યા હતા તે તેની પ્રેગ્નેન્સી છે તે સાત વખતની પ્રેગ્નેનન્સીમા ૧૫ સિંહબાળને જન્મ આપી ચૂકી છે. જે એશિયાટિક સિંહોમાં એક રેકોર્ડ છે.

ઉપરાંત અમરેલીનાં લીલીયા ક્રાકંચમાં રહેલા ૫૦-૬૦ સિંહો સિંહણોની સંખ્યા પણ આ રાજમાતાનો વંશ હોય તેમ માનવામાં આવે છે. વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના સીનિયર રિસર્ચર વાય.વી. ઝાલા કહે છે. એશિયાટિક સિંહો સામાન્ય રીતે ૧૬ વર્ષ જીવતા હોય છે. રાજમાતા એક અપવાદ છે. તે ૨૦ વર્ષ સુધી જીવી અને સાત વાર સિંહબાળને જન્મ આપ્યો . તેમણે જ ૨૦૦૮માં સિંહણ પર રિસર્ચ માટે રેડિયો કોલર પહેરાવ્યો હતો.

શેત્રુંજય વાઈલ્ડ લાઈફ ડિવિઝનના જિલ્લા વન અધિકારી નિશા રાજે રાજમાતાના મોતની ખબરની પુષ્ટિ કરી હતી. રાજમાતાનું ઉંમર સંબંધીતે બીમારીઓનાં કારણે મોત થયું હતુ. રાજમાતા સહિત અન્ય સિંહોની સંખ્યાનું નજીકથી નિરિક્ષણ કરનારા બે ડોકટર્સ જલ્પન રૂપાપરા અને પૂર્વેશ કાચાએ કહ્યું કે તેણે છેલ્લીવાર ૨૦૧૮માં સિંહબાળને જન્મ આપ્યો હતો. જો કે તે જ વર્ષે સિંહબાળ ગુમ થઈ જતા રાજમાતાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતુ. આ સિંહબાળનો અન્ય સિંહોએ શિકાર કરી નાખ્યો હોવાનું મનાય છે.

રૂપાપરા મુજબ, અમરા અભ્યાસ દરમિયાન અમે પહેલી પ્રેગ્નેન્સી બાદની તમામ છ પ્રેગ્નેન્સી જોઈ છષ. પોતાની પહેલી બીજી અને ત્રીજી પ્રેગ્નેન્સી દરમિયાન રાજમાતાએ દરેક વખતે ૩ સિંહબાળને જન્મ આપ્યો હતો. કાચા કહે છે. ચોથી અને પાંચમી પ્રેગ્નેન્સીમાં બે બે સિંહબાળ જન્મ્યા હતા જયારે છેલ્લી બંને પ્રેગ્નેન્સીમાં એક એક સિંહબાળને જન્મ આપ્યો. જોકે બંનેનો શિકાર થઈ ગયો હતો.

રૂપાપરાનાં કહેવા મુજબ લીલીયા ક્રાકંચ વિસ્તારમાં સિંહોનું રાજ સ્થાપવામાં તે મહત્વપૂર્ણ છે. ૨૦૧૬માં જ સ્થાનિક લોકો દ્વારા આ સિંહણને રાજમાતા નામ આપવામાં આવ્યું હતુ તે અન્ય કોઈ સિંહણને પોતાના વિસ્તારમાં ઘૂસવા નહોતી દેતી એકવાર રાજમાતા પોતાનો રસ્તો ભૂલી ગઈ અને ગોંડલ સુધી પહોચીગ ઈ. રાજમાતા સહિત તેના ત્રણ સિંહબાળને પકડવામાં ફોરેસ્ટ વિભાગને સાત દિવસ લાગ્યા હતા. ફોરેસ્ટ અધિકારીઓ તેમને પકડવા પાંજરા મૂકતા જોકે રાજમાતા દરેક ટ્રેપમાંથી છટકી જતી રૂપાપરા કહે છે. પોતાના પહેલાના અનુભવોનાં આધારે તે પાંજરાથી બચીને નીકળી જતી અને પકડાયા વિના રોજનું ૧૫-૨૦ કિલોમીટર અંતર કાપતી હતી જોકે સાતમાં દિવસે વનવિભાગે તેને ઈન્જેકશન મારીને બેભાન કરી અને શકકરબાગ ઝૂમાં લઈ ગયા. જયારે સ્થાનિક લોકોને જાણ થઈ કે રાજમાતાને શકકરબાગ ઝૂમાં પૂરવામાં આવી છે તો તેમણે તેને છોડવા માટે આંદોલન શરૂ કરી દીધું હતુ બાદમાં સીનીયર ફોરેસ્ટ અધિકારીના પત્ર બાદ ૬ મહિને રાજમાતાને છોડવામાં આવી હતી. ત્યારથી ૨૦૦૮ થી રાજમાતાએ લીલીયા ક્રાકંચમાં પોતાનો દબદબો બનાવેલો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.