Abtak Media Google News

સદગુરુ સદન ટ્રસ્ટ દ્વારા તા.૭ને રવિવારના રોજ સંગીતમૈયી શૈલીમાં અખંડ રામચરિત માનસજીનાં પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. અખંડશ્રી રામચરિત માનસજીના પાઠ નિમિતે પૂ.સદગુરુદેવ ભગવાનનું સુક્ષ્મપૂજન સવારે ૩:૩૦ વાગ્યે તથા અખંડ રામચરિતમાનસજીના પાઠનો પ્રારંભ સવારે ૪:૦૦ વાગ્યે કરવામાં આવશે. અખંડ શ્રી રામચરિતમાનસ પાઠ નિજ મંદિર હોલમાં કરવામાં આવશે. જેની પૂર્ણાહૂતિ રાત્રે ૧૧:૩૦ કલાકે થશે.

અખંડશ્રી રામચરિત માનસજી પાઠ અબ પ્રભુ કૃપા કરો ઐહી ભાંતિ, સબ તજી ભજન કરૂ દિન-રાતી ના સંપુટ સાથે કરવામાં આવશે. રામચરિત માનસજીનાં પાઠ કરવાનું સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુએ ઘણુ મહત્વ બતાવ્યું છે. રાજકોટનાં તમામ ધર્મપ્રેમીઓ તથા ગુરુભાઈઓ-બહેનોને આ અખંડ સંગીતમય શૈલી પાઠમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.