Abtak Media Google News

ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે

શ્રીકાંત નાયર, મયુરી પાટલીયા, વિશાલ પંચાલ તથા પરાગી પારેખ, પ્રિતી ભટ્ટ ગીતોની રમઝટ બોલાવશે: સંગીતકાર પંકજ ભટ્ટનું ઓરકેસ્ટ્રા

છેલ્લા બે વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ફરી એક વખત જૈનમ ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૧૦ ઓકટોબરથી તા.૧૮ ઓકટોબર ૨૦૧૮ સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આજે રાત્રે ૯:૦૦ કલાકે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે શહેરનાં મહાનુભાવોની પ્રેરક હાજરીમાં ધમાકેદાર પ્રારંભ થશે.

આ ઉદઘાટન પ્રસંગે ખાસ મુંબઈથી પધારતા ચેતનભાઈ ભાનુશાળી (જાણીતા બિલ્ડર્સ) મુંબઈના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવનાર છે. તદઉપરાંત અતિથી વિશેષ તરીકે સર્વશ્રી મનિષભાઈ શાહ (ગુજરાતી એનરીચમેન્ટ ઓર્ગેનાઈઝેશન), રાજુભાઈ છેડા (જસ્ટ ઈન ટાઈમ), ગીરીશભાઈ છેડા (મુંબઈ), વિનોદભાઈ દોશી (એચ.જે.ઈન્ડસ્ટ્રીઝ, જીતુભાઈ બેનાણી (જાણીતા બિલ્ડર્સ), ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર), અતુલભાઈ જૈન (મુંબઈ), મુકેશભાઈ દોશી (મોડર્ન), જયેશભાઈ શાહ (સોનમ કવાર્ટઝ), દર્શનભાઈ શાહ (ભારત સ્ટીલ ટુલ્સ સીન્ડીકેટ), રમણભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ), વિમલભાઈ કેશુભાઈ ખુંટ (કાનાભાઈ), રાજકોટ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, રાકેશભાઈ રાજદેવ (હોટલ રોમા ક્રિસ્ટો-દ્વારકા), ગીરીશભાઈ મદનલાલ રાઠી (બ્રુકલેન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર-અમદાવાદ), મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), વીરેન્દ્રભાઈ ખારા (જીતેન્દ્ર ગ્રુપ), દિલીપભાઈ ઉદાણી, રાજુભાઈ કેસ્ટ્રોલ, હસુભાઈ પટેલ (પટેલ ઓટો કેર, સીમાબેન એચ.ખજુરીયા, ડી.વી.મહેતા (એક્રોલોન્જ કલબ), શ્યામભાઈ છાંટબાર, રશ્મીકાંતભાઈ મોદી (મોદી સ્કુલ) ઉપસ્થિત રહેશે.

આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ રાજકોટનાં રાજમાર્ગ સમા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પારીજાત પાર્ટી પ્લોટનાં ૩૪૦૦૦ વારનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે ટ્રસનું મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવેલ છે. રાજકોટ જૈન સમાજનાં ખેલૈયાઓનાં હૈયાઓને ડોલાવવા જૈનમ દ્વારા જેબીએલ વર્ટેકસ ૪-વે લાઈનરી ૧,૨૫,૦૦૦ વોટની શાનદાર સાઉન્ડ સીસ્ટમનાં તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે. આ નવરાત્રી મહોત્સવમાં તા.૧૨ને શુક્રવારના સાંજે ગુજરાત ગૌરવ ઓસમાણ મીર અને તા.૧૩ને શનિવારના રોજ ફેમસ ગાયીકા ફરીદા મીર પોતાની ગાયીકી દ્વારા જૈનમ્નાં ખેલૈયાઓને ડોલવશે.

આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિઘ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટય એકાદમીનાં ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાંજીદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજનાં ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પરફોર્મન્સ યુ-ટયુબ ઉપર ધુમ મચાવી રહ્યા છે તેવા કલાકારો જૈનમ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ધુમ મચાવશે. મુંબઈના પ્રખ્યાત સિંગર શ્રીકાંત નાયર કે જેઓ છેલ્લા ૨૪ વર્ષથી નવરાત્રી ઉપરાંત સંગીત ક્ષેત્રમાં પ્રોગ્રામ આપી રહ્યા છે ઘણા આલબમ પણ રજુ કરી ચુકેલ છે. આકાશવાણી તથા દુરદર્શનમાં અનેક કાર્યક્રમો ચુકેલ છે. શ્રીકાંત નાયરે ૧૫ કલાકમાં સતત ૧૫૧ ગીતો ગાઈને વિશ્ર્વ રેકોર્ડ બનાવેલ છે. છેલ્લા ૧૫ વર્ષથી તેઓ સ્વે.નવરાત્રી માટેના કાર્યક્રમો આપી ચુકેલ છે.

બરોડાના મયુરી પાટલીયા ૧૯૯૭થી ગાયકી ક્ષેત્રે કાર્યરત છે. જેમણે કલાસીકલ, ફોક, કવ્વાલી અને સુફી ગીતો દ્વારા ચાહકોમાં અનેરું સ્થાન મેળવેલ છે. વિશાલ પંચાલ કે જેઓ એ માત્ર ૫ વર્ષની નાની વયે જ ગાવાનું શ‚ કરેલ હતું. જેઓ ઈટીવીમાં મસ્તી કાર્યક્રમમાં વિનર બની ચુકેલ છે અને જીટીપીએલમાં ભજન રત્ન એવોર્ડથી નવાજવામાં આવેલ હતા. વલસાડ: ૧૦ વર્ષની જ ઉંમરથી પરાગી પારેખે ગાવાનું શ‚ કરી શ‚આતમાં શાસ્ત્રીય સંગીત કરેલ હતી અને હાલમાં ગાયીકી ક્ષેત્રે ૩૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ ઘણી ટીવી સીરીયલ, ડોકયુમેન્ટરી ફિલ્મ, જીંગલ અને ઓડીયો આલ્બમમાં પણ કામ કરી ચુકેલ છે. રાજકોટનાં રહેવાસી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાયીકી ક્ષેત્રે નામના મેળવી ચુકેલ પ્રિતી ભટ્ટ અર્વાચીન દાંડીયામાં એક આગવા અંદાજથી ગાઈ ખેલૈયાઓને રમવા મજબુર કરી દેશે. પ્રિતી ભટ્ટ લેડીઝ અને જેન્ટસ બન્ને અવાજમાં રાસ ગરબા થકી સૌરાષ્ટ્રમાં નવરાત્રીની પહેલી પસંદ બની ચુકેલ છે.

જૈનમ નવરાત્રીમાં આ વર્ષે સિંગરો પાઘડી, દેશભકિત, બીયર્ડ ટ્રેન્ડ, ફયુઝન ગરબા અને મેશ અપ થીમ ગરબા સાથે ખેલૈયાઓને મન મુકીને ઝુમાવશે. પારિવારીક વાતાવરણ અને સ્પેશિયલ જૈન ફુડઝોનની સુવિધાનો લાભ ખેલૈયાઓ લઈ શકશે. અબતકની મુલાકાતે આવેલા કલાકારોએ જણાવ્યું હતું કે, કલાકારો તો વિશ્ર્વભરમાં સૌરાષ્ટ્રના કલાકારો ઓન ડિમાન્ડ રહે છે. જૈનમ નવરાત્રીમાં સંસ્કૃતિની ઝાંખી સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. એમ હિંચના ઢાળમાં પણ ગીતો રજુ કરવાના છીએ. જૈનમ એવું માધ્યમ અમને મળ્યું છે જયાના ખેલૈયાઓને પણ કલા-સંગીતની કદર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.