Abtak Media Google News

પેઢીઓને ૨૦૨૦ સુધી મળશે વિશેષ રાહત

જીએસટી કાઉન્સીલ દ્વારા દેશની નફો ન કરતી પેઢીઓને ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી ખાસ રાહત અને માફીની યોજનાનો લાભ આપવા ૨૧મી જૂને મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારના નવા નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં પ્રથમ વાર સમિતિની ૩૫મી બેઠક મળશે આ બેઠકમાં પૂર્વઉત્તરનાં રાજયો અને એક તમામ કેન્દ્ર શાસીત પ્રદેશો માટેની એપેલે ટ્રીબ્યુનલની રચના કરવાનો પણ નિર્ણય લેવાશે.

જીએસટી કાઉન્સીલની આ સમિતિની આ બેઠકમાં એકસ્ટ્રા ન્યુસયર આલ્કોહોલે ઈએનએ કે જે શરાબ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ શરાબ જનઆરોગ્ય માટે હાનીકારક હોવાના કારણા તેના પર નિયંત્રણ માટે તેને ગૂડ એન્ડ સર્વીસ ટેક્ષના દાયરામાં લેવાની પ્રક્રિયા હાથમાં લેવામાં આવી છે. ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી દેશની નફો ન કરતી હોય તેવી પેઢીઓને જીએસટીમાં રાહત આપવાની મૂદતમાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બેઠકમાં ઈએનએકે એકસ્ટ્રા ન્યુઅલ આલ્કોહોલને જીએસટીમાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈએનએનાં ૯૫% વપરાશ આલ્કોહોલમાં થાય છે. પરંતુ તોના દૂરૂપયોગ વિહસ્કી, જીન અને દેશી શરાબમાં કરવામાં આવે છે. સરકારે નફો ન કરતી કંપનીઓને પ્રથમ બે વર્ષ માટે કર રાહતો આપી હતી હવે આવી કંપનીઓને વધુ એક વર્ષની રાહત આપવાના નિર્ણય અંગે સમિતિના ચેરમેન બીએન શર્માએ જણાવ્યું હતુ. જીએસટી કાયદા અનુસાર ૧૮ રાજયોની એપેલેટમાં અત્યાર સુધીની બેઠકોની તવારીખમાં જૂન 21ની બેઠકમાં દિલ્હી, ઓરિસ્સાના તેલંગાણામાં એપેલેટ ટ્યુબીનલ ની રચના નો નિર્ણય લેવામાં આવ્યો છે. રૂપીયા ૫૦ કરોડનું ટર્ન ઓવર અને બીટુબી બીઝનેસ ની સાથે સાથે અત્યાર સુધી આલ્કોહોલને જીએસટી થી મુક્ત રાખવામાં આવ્યું હતું.

સરકારે દેશભરમાં સમાન કર માળખા માટે લાગુ કરવામાં આવેલ જીએસટીમાં ઈએન કે જે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, હરિયાણા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપપ્રદેશ, મહારાષ્ટ્રમાં ઈએનએને  જીએસટી માંથી બાકાત રાખવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે જીએસટી સમિતિ ની બેઠકમાં બિન નફો કરતી પેઢીઓ એક વર્ષની મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.