Abtak Media Google News

પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો તો.

 શહેરના યાજ્ઞીક રોડ પર મહીલા વકીલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં સ્યુસાઇટ નોટના આધારે મહીલા વકીલને મરવા મજબુર કરનાર પ્રેમી સહીત ત્રણ શખ્સો સામે પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસે ફરીયાદના આધારે ત્રણેય શખ્સોની શોધખોળ આદરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બજરંગવાડી વિસ્તારમાં રહેતી અને યાજ્ઞીક રોડ પર રાજેશ્ર્વરી કોમ્પલેકસના ત્રીજા માળે દિવ્યરાજ એસોસીએટ નામની ઓફીસ ધરાવતી દિવ્યાબેન મગનભાઇ વીઠા નામની મહીલા વકીલે ઓફીસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મૃતકની ઓફીસમાંથી સ્યુસાઇટ નોંટ મળી આવી હતી. જેમાં મુર્તુજા નામના યુવાન સાથે ચાર વર્ષથી પ્રેમ સબંધ હોવાનું અને મુર્તુજા અને તેના બેન બનેવીએ મહિલા વકીલને અપશબ્દો બોલી લગ્નની ના પાડી દેતા દિવ્યાબેનને લાગી આવતા આપઘાત કર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મૃતકના ભાઇ રાજેશભાઇ વીઠાએ સ્યુસાઇટ નોટના આધારે પ્ર.નગર પોલીસમાં મહીલા સહીત ત્રણેય શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. પીએસઆઇ એમ.એસ. ગોસાઇ સહીતના સ્ટાફ ફરીયાદના આધારે ત્રણેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.