Abtak Media Google News

૪૦માં ઠાકોર સાહેબ બન્યાં: વિવિધ સ્ટેટના રાજવી પરિવારના સભ્યો રહ્યા ઉપસ્થિત

લીંબડીના નામદાર ઠાકોર સાહેબ છત્રપાલસિંહ સાહેબનું થોડાક દિવસ પહેલા જ દુ:ખદ અવસાન થતાં તેમના અનુગામી તરીકે પરંપરા રીતે ૪૦માં મંગલેશ્વર તરીકે નેક નામદાર ઠાકોર જયદીપસિંહ બાપુનું રાજતીલક શાસ્ત્રોક્ત વિધા વિધિસર તેમના બહેન હસ્તે લીંબડી દિગ ભુવન પેલેસમાં કરવામાં આવ્યુ હતુ.

આ રાજતીલક પ્રસંગે વાંકાનેર સ્ટેટ, ચુડા ઠાકોર, ધ્રાંગધ્રા સ્ટેટ, લખતર સ્ટેટ, છોટા ઉદેપુર, જયપુર સ્ટેટ તેમજ દેશ વિદેશમાંથી પધારેલ યુવરાજો, રાજા મહારાજા એન લીંબડી શહેરના પ્રજાજનો, દરેક સમાજના આગેવાનો ઓ ઉપસ્થિત રહી રાજતીલક કરીને ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.