અંગ્રેજોની કોઠી રહ્યાં પહેલા રાજકોટની રોનક કેવી હતી તે બેડીનાકા ટાવર, કોઠારીયા નાકા, રૈયા નાકા અને જામટાવર સહિતના સ્થાપત્યો પરથી ફલીત થાય છે. જૂના રાજકોટનું રક્ષણ આ ટાવરોએ કર્યું હતું. અંગ્રેજોની કોઠી રહ્યાં બાદ રાજકોટના બેડીનાકા ટાવર સહિતના હેરીટેજ આજે રાજકોટની હરણફાળના ઈતિહાસના પુરાવા આપે છે. જૂના રાજકોટનું રક્ષણ કર્યા બાદ આજે ઐતિહાસિક સ્થાપત્યો સમાન બેડીનાકા ટાવરથી જ રાજકોટથી બેડી તરફનો વહેવાર ચાલતો આવ્યો હતો. આશરે સવા સો વર્ષ પૂર્વે અંગ્રેજોએ રૈયા નાકા અને બેડીનાકા ટાવરનું નિર્માણ કર્યું હતું. આ બન્ને ટાવર ઘડીયાળ સાથેના છે. એ વખતે દરબારગઢથી માંડી ગઢની રાંગ સુધીનો વિસ્તાર રાજકોટ તરીકે ઓળખાતો તે સમયે રાજકોટ માસુમાબાદ તરીકે ઓળખાતું હતું. આજે ફરી શહેરની ધરોહર સમાન બેડીનાકા ટાવરની ડ્રોન તસવીરથી જૂના રાજકોટનો ઈતિહાસ નજરે પડે છે. (અબતક ડ્રોન તસવીર)
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો