Abtak Media Google News

રૂ.૨૦ લાખની ખંડણી પડાવવા કારમાં તરણેતર લઇ જઇ કર્યો હુમલો.

રાજકોટના વૈશાલીનગરમાં રહેતા અને થાનમાં નવરંગ સિરામીકના નામે વ્યવસાય કરતા ઉદ્યોગપતિનું થાનના બે શખ્સોએ અપહરણ કરી તરણેતર લઇ જઇ ફાયરિંગ કરી લૂંટ ચલાવ્યા બાદ રૂ.૨૦ લાખની ખંડણીની માગણી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વૈશાલીનગરમાં રહેતા થાનની નવરંગ સિરામીક ફેકટરીના માલિક યાસીનભાઇ સુલતાનભાઇ ખોજાએ થાનના સુરેશ ભગુ કાઠી અને કનુ કરપડા નામના શખ્સોએ કારમાં અપહરણ કરી પિસ્તોલમાંથી ફાયરિંગ કરી સોનાનો ચેન અને સોનાની વીંટી મળી રૂ.૫૫ હજારની લૂંટ ચલાવી રૂ.૨૦ લાખની ખંડણી પડાવવા ધમકી દીધાની થાન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

યાસીનભાઇ ખોજા ગઇ સાંજે સાતેક વાગે થાન ફેકટરીએથી રાજકોટ ઘરે આવી રહ્યા હતા ત્યારે સુરેશ કાઠી અને કનુ કાઠીએ ફેકટરી નજીક જ કારને આંતરી બંને શખ્સો કારમાં બેસી તરણેતર તરફ લઇ ગયા હતા.

તરણેતર પાસે કાર ઉભી રખાવી બંને શખ્સોએ યાસીનભાઇ ખોજાને નીચે ઉતારી કારને પલ્ટી ખવડાવ્યા બાદ યાસીનભાઇ ખોજાને ઢસડી વીડીમાં લઇ જઇ તેના પર પિસ્તોલથી ફાયરિંગ કરતા તેઓને પગમાં ગોળી લાગતા ઘવાયા હતા. તેમને સારવાર રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પોલીસ પૂછપરછ દરમિયાન યાસીનભાઇ ખોજાએ થાનના સુરેશ કાઠી અને કનુ કાઠીએ ફાયરિંગ કર્યા બાદ રૂ.૫૫ હજારની કિંમતના ઘરેણાની લૂંટ ચલાવ્યા બાદ રૂ.૨૦ લાખની ખંડણી માગ્યાનું જણાવતા પોલીસે બંને શખ્સો સામે અપહરણ, લૂંટ અને ખંડણી પડાવવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.