Abtak Media Google News

બે સંતાનોની માતા સાથેના આડાસંબંધથી પુત્ર લગ્ન ન કરતાં માતાએ ફીનાઇલ પીધી

શહેર નજીક આવેલા રતનપર ગામમાં રહેતા સાવકા પુત્રએ બે સંતાનની માતા સાથેના આડા સંબંધના કારણે સગાઇ બાદ લગ્ન ન કરતા કંટાળીને માતાએ ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર રતનપર ગામ રામધામ ગ્રીનસીટી પાસે રહેતા વિજયાબેન મનીષભાઇ બાવરીયા નામના ૪૦ વર્ષના મહીલાએ ફીનાઇલ ગટગટાવતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ પુછતાછ કરતા વિજયાબેન બાવરીયાના પાલક પુત્ર સન્ની બાવરીયાની ત્રણ વર્ષ પહેલા ભાવનગર સગાઇ કરી હોય પરંતુ સન્નીએ બે સંતાનની માતા સાથે આડા સબંધં હોયજેના કારણે લગ્નની વારે  ધડીએ ના કહેતા અને સમજાવા છતા પરિણીત મહીલા સાથે સંબંધ રાતતા સાવકી માતાએ કંટાળી ફીનાઇલ ગટગટાવ્યાનું જણાવ્યું હતું પોલીસે ધટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.