Abtak Media Google News

તાવના ૧૦૭, ઝાડા-ઉલ્ટીના ૧૮૩ કેસો મળી આવ્યા: મચ્છરની ઉત્પત્તિ સબબ ૧૦૭ને નોટિસ

કાળઝાળ ઉનાળામાં પણ સ્વાઈન ફલુ જેવી મહામારી કેડો મુકવાનું નામ લેતી ની. છેલ્લા સપ્તાહમાં શહેરમાંી વધુ એક સ્વાઈન ફલુનો કેસ મળી આવ્યો છે. દરમિયાન મચ્છરોની ઉત્પતિ સબબ ૧૦૭ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાના સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ અલગ સરકારી તા ખાનગી હોસ્પિટલોમાંી સામાન્ય અને તાવના ૧૦૭ કેસ, ન્યુમોનિયા તાવના ૬ કેસ, ઝાડા-ઉલ્ટીના ૮૩ કેસ, ટાઈફોઈડ તાવના ૪ કેસ, મરડાના ૮ કેસ, અન્ય તાવના ૨૭ કેસ, કમળાના ૨ કેસ અને સ્વાઈન ફલુનો ૧ કેસ મળી આવ્યો છે. ખોરાક જન્ય રોગચાળાની અટકાત માટે ૨૩ રેકડી, ૩૬ દુકાન, ૧૯ ડેરીફાર્મ, ૨૦ હોયલ-રેસ્ટોરન્ટ, ૧૬ બેકરી અને ૩૫ અન્ય સ્ળ સહિત કુલ ૧૪૯ સ્ળે ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું જેમાં ૫૪૯૦ કિલો વાસી ખોરાકનો નાશ કરી ૧૧ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. અને બે સ્ળેી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૨૨૫૧૯ ઘરમાં સર્વેની કામગીરી હા ધરાઈ હતી. ૯૮૭ ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ કરવામાં આવ્યું હતું. ૫૦૬ સ્ળોએ ચેકિંગ હા ધરાયું હતું અને મચ્છરની ઉત્પતિ સબબ ૧૦૭ આસામીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૭૮, વેસ્ટ ઝોનમાં ૨૫૭ અને ઈસ્ટ ઝોનમાં ૧૬૭ સ્ળોએી પાણીના નમૂના લઈ ફલોરીંગની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તમામ નમુના પીવાલાયક હોવાનો રિપોર્ટ આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.