Abtak Media Google News

ગુજરાતમાં સ્વાઈન ફલૂના ભરડામાં રવિવારે વધુ ૩ લોકો મોતને ભેટયા છે. છેલ્લા બે દિવસમાં પાંચ લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં આ રોગમાં મોતનો આંકડો 423ને પાર થઈ ચૂક્યો છે, છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર કેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સ્વાઈન ફલૂમાં નવા 62 દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યારે રાજકોટ  શહેરમાં સ્વાઇન ફ્લુથી વધુ બે ના મોત નિપજ્યાં છે. રાજકોટ કુલ 127 લોકોના મોત થયેલ છે. હજુ સિવિલ હોસ્પિટલ દર્દી સારવાર લઈ રહ્યા છે. ગત રોજ પણ 63 નવા દર્દીઓ દાખલ થયા હતા. સરકાર દાવો કરી રહી છે અત્યાર સુધીમાં કુલ 6,150 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને હોસ્પિટલેથી રજા આપવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં જ સ્વાઈન ફલૂમાં મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.