ઉપલેટા યુવા ગ્રુપ દ્વારા આયોજિત અશ્વમેળો ૨૦૧૯ ગુજરાત યોજાયો હતો. જેમાં સ્વામિનારાયણ આશ્રમ તીર્થધામ સાંકળી (તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ)ની પ્યોર મારવાડી બીડની ચાંદની ઘોડી ગુજરાત રાજયમાં બીજા નંબરે આવતા સૌ સંતો અને હરિભકતોમાં હરખની હેલી પ્રગટી. સ્વામિનારાયણ આશ્રમ તીર્થધામ સાંકળીના પૂજય વંદનિય મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી ઉપર રાજકોટ સ્વામિનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડના મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી તથા જામનગર, વડતાલ, ધોલેરા, જુનાગઢ, માંગરોળ, પંચાળા, પિપલાણા, લોએજ વિગેરે ધામેધામથી વંદનીય સંતો, મહંતો અને હરિભકતોના અભિનંદનના ફોનનો ધોધ વહી રહ્યો છે. તીર્થધામ સાંકળીના દર્શનપ્રિય સ્વામી તેમજ સેવાભાવી સેવક અને દ્રષ્ટી પ્રદિપભાઈ ભાખરે ખુબ જ સખત મહેનત કરી હતી. સાથમાં રામકુંવરભાઈ ડેર (મોટા આંકડીયાવાળા)એ પણ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો. ચાંદની ઘોડી આજે સ્વામિનારાયણ આશ્રમ તીર્થધામ સાંકળીમાં રાખવામાં આવી છે અને વિદ્યાર્થી મિત્રોને ઘોડેશ્વારી શીખવવામાં આવશે.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક