Abtak Media Google News
ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગરભાઈ રબારી ની સુચનાથી અને સુરેન્દ્રનગર જીલ્લા ખેડૂત એકતા મંચના પ્રમુખ રાજુભાઇ કરપડા દ્વારા આજે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે
જેમાં મુળી તાલુકાનાં પ્રમુખ તરીકે જયસુખભાઇ દુધરેજીયા,ચોટીલા તાલુકાના પ્રમુખ તરીકે અશોકભાઈ બાંભણીયા અને મંત્રી તરીકે રાજુભાઈ સોનારા,લખતર તાલુકાના પ્રમુખ તરીકે મુકેશભાઈ ડાભીને નિમણૂક પત્ર આપેલ છે
આવતા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ સંગઠન દ્વારા પ્રશ્ન ને વાંચા આપવામાં આવશે અને ખેડૂતો ને ન્યાય મળશે આ નિમણૂક થતાં ખેડૂત એકતા મંચના આગેવાનો અને ગુજરાત ના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.