પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે કાયદો વ્યવસ્થા તદ્દન ખાડે ગઇ છે. લોકોને ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ થઇ ગયુ છે. ધ્રાંગધ્રા તાલુકાના ચુલી-સોલડી ગામમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. સોલડી ગામમાં બંન્ને જુથો સામસામે આવી જતા મોટાપાયે પથ્થરમારો અને મારામારી શરૂ થઇ ગઇ હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયરગેસ પણ છોડયા હતા.બીજી તરફ જ્યારે જામનગર તરફથી ધ્રાંગધ્રાના પુર્વપાલીકા પ્રમુખના બેસણામાં આવતા ક્ષત્રિય અને ગોપાલધામ મંદિર પાસે બેઠેલા ભરવાડ વચ્ચે જુથ અથડામણ થતા જોતજોતામાં અનેક બાઇક-રીક્ષા અને કારને આગચંપી લગાવી દીધી હતી. આ ફાયરીંગમાં ગોલાસણ ગામમાં રાણા ભાલુભાઇ ભરવાડનું મોત થયેલ છે અને ચિત્રોડી ગામના ખેતા નાગજીભાઇ અને વાલા નાગજીભાઇને ગંભીર ઇજાઓ પહોચી છે.
Trending
- મોરબીમાં પાનેતર પહેરી પરિક્ષા આપવા પોહચી દુલ્હન
- Premier Leagueમાં Manchester United અને Evertonએ વગાડ્યો જીતનો ડંકો…
- મતાધિકાર છીનવાય એવી પરિસ્થિઓ કઈ કઈ છે, તે જાણો છો???
- iPhone ઉપભોકતા સાવધાન !!!
- લોકશાહી માટે મતદાનના તમામ તબક્કા મહત્વપૂર્ણ
- રાજકોટ રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે: અશ્વિની વૈષ્ણવ
- સેન્સરમાં ગડબડ: રાજકોટ શહેરમાં બે સ્થળોના તાપમાનમાં 8 ડિગ્રીનો તફાવત!
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના