Abtak Media Google News

એસસી/એસટી અને ઓબીસીની જેમ આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપવા અરજીમાં થયેલી માંગ

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે સેન્ટ્રલ શિક્ષક લાયકાત ટેસ્ટ ૨૦૧૯માં આર્થિક રીતે નબળા વિભાગો માટે ૧૦ ટકા આરંક્ષણ પૂરું પાડતો કાયદો આક્ષેપ કરતા અરજી પર કેન્દ્ર અને સીબીએસઈને નોટિસ આપી છે.ઈડબલ્યુએસના દાવાવાળા વિદ્યાર્થીઓના જુથ દ્વારા દાખલ કરાયેલા પીઆઈએલને સાંભળવા માટે સમર્થ થતા જસ્ટીસ ઈન્દિરા બેનર્જી અને સંજીવ ખન્નાની વેકેશન બેંચ કેન્દ્ર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજયુકેશન સીબીએસઈ તરફથી પ્રતિભાવ માંગ્યો હતો અને કેસને ૧લી જુલાઈએ પોસ્ટ કર્યો હતો.

અરજદાર પુષ્કર શર્માએ અરજી કરનારને જણાવ્યું હતું કે, સીટીઈટીએ ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ સીટીઈટીના સંચાલન માટે જાહેરાત કરી હતી પરંતુ આર્થિક રીતે નબળા વિભાગોને અનામત આપવા અને કોર્ટમાં દખલની માંગણી કરવા અંગેનો કોઈ જ ઉલ્લેખ કરાયો નથી.

અહીં અરજદારો સમાજના આર્થિક રીતે નબળા વર્ગના હોય અને અરજદારોને ખોટા લાભ આપીને બંધારણ અધિનિયમ ૨૦૧૯ના યોગ્ય અમલીકરણની ખાતરી કરવા માટે માનવ સંશાધન વિકાસ મંત્રાલયને દિશા નિર્દેશ માટે અરજી દાખલ કરી છે અને એસસી/એસટી ઓબીસીને અનામત પૂરી પાડવામાં આવે તેમ અરજીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.