Abtak Media Google News

ટ્રસ્ટના સભ્યોએ અબતકની મુલાકાતમાં વિશેષ વિગતો આપી.

રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ તથા ડાભી પરિવાર દ્વારા આગામી તા.૧૩ને રવિવારે સવારે ૯ કલાકે રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટની વાડી, બ્રહ્મસમાજ ચોક રૈયા રોડ ખાતે યોજાશે.

આજરોજ અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું કે રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ તથા ડાભી પરિવાર દ્વારા ગૌે.વા. યોગેશભાઇ હસમુખભાઇ ડાભીની તૃતીય પુણ્યતિથિ નીમીતે તા. ૧૩ ને રવિવાર રોજ થેલેસેમીયા પીડીત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન કરેલું છે. એકત્ર થયેલું રકત સીવીલ હોસ્પિટલમાં અપાશે.

કાર્યક્રમ અંગે સતીષભાઇ ગોહીલ પ્રમુખ રાજકોટ સોરઠીયા  દરજી જ્ઞાતિ, સતીષ વસંતભાઇ ગોહેલ, રણજીતભાઇ ગોહીલ ઉપપ્રમુખ, નીલેશભાઇ ડાભી (ડાભી પરીવાર) ભુપેન્દ્રભાઇ ગોહેલ ટ્રસ્ટી, અને ભરતભાઇ ગોહેલે અબતકને વિગતો આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.