Abtak Media Google News

જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલા આવાસમાં રહેતા લુહાર પરિણીતાએ આજે સવારે અકળ કારણસર ગળાફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ શરૃ કરી છે.

જામનગરના શરૃ સેકશન રોડ પર આવેલા એમ.પી. શાહ ઉદ્યોગનગર નજીકના મુખ્યમંત્રી આવાસ-એલઆઈજી/૧ માં બ્લોક નં.સી/૫૦૯માં વસવાટ કરતા વિપુલભાઈ ગુણવંતરાય મારૃ નામના લુહાર યુવાનના પત્ની રિદ્ધિબેન (ઉ.વ.રર)એ આજે વહેલી સવારે પોતાના બ્લોકમાં કોઈ અકળ કારણસર ગળાફાંસો ખાધો હતો.

આ બાબતની પતિ વિપુલભાઈને જાણ થતા તેઓએ બૂમાબુમ કરી આડોશી પાડોશીઓને એકઠા કરી રિદ્ધિબેનને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે રિદ્ધિબેનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ બાબતની જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયા તથા મગનભાઈ ચનિયારાને જાણ કરાતા તેઓએ વિપુલભાઈનું નિવેદન નોંધી સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી છે. ઉપરોક્ત મહિલાના લગ્ન બે વર્ષ પહેલા જ વિપુલભાઈ સાથે થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.