Abtak Media Google News

સંસ્થાના ૫૦૦થી વધુ સ્વયંસેવકો રાહતકાર્યોમાં જોડાયા: ફ્રન્ટલાઈન સેવકો, જરૂરતમંદો, દૈનિક કામદારોને ફૂડ પેકેટ્સ, માસ્ક, સેનેટાઈઝર્સ, રાશનનું વિતરણ

કોરોના વાયરસ, કોવિડ- ૧૯ ના ઉપદ્રવનું જે સંકટ હાલ જગત પર આવી પડ્યું છે, ત્યારે વિશ્ર્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા શ્રીમદૃ્ રાજચંદ્ર મિશન ધરમપુરે તેમના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી લોકોની સહાયતા અને સલામતી અર્થે અનેક સ્તરે રાહતકાર્યો શરૂ કરી દૃીધાં છે. મિશનનું સ્ટેટમેન્ટ છે, ‘પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો.’ જેને ખરા અર્થમાં ચરિતાર્થ કરતાં મિશનના સંન્યાસીઓ અને વિશ્ર્વભરમાં ફેલાયેલા તેના કેન્દ્રો જેમ કે બેંગલુરુ, ચેન્નાઈ, પૂણે, અમદાવાદ, વડોદરા, યુ.કે. વગેરેના ૫૦૦થી વધુ સ્વયંસેવકો કોવિડ-૧૯ રાહતકાર્યોમાં જોડાઈ ગયા છે. આ રાહતકાર્યો સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કરી રહ્યા છે. ફ્રન્ટલાઈન સેવકો જેમ કે ડોક્ટર્સ, નર્સ, પોલીસ તથા અન્ય સરકારી કર્મચારીઓ આજે પોતનાી પરવા કર્યા વિના દિવસ રાત દેશને આ કટોકટીમાંથી બહાર લાવવા વગેરે પહોંચાડવામાં આવી રહ્યા છે. લોકડાઉનના આ સમયમાં જરૂરિયાતમંદ પરિવારો તથા દૈનિક કામદારોને અનાજ, તેલ, મસાલા વગેરે એક મહિનાનું રાશન અને સાબુના કીટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,  ધરમપુરમાં આરોગ્યપ્રદ

વાતાવરણમાં બનાવેલ ખીચડી તથા છાશ અને શાકભાજી, ફૂડ પેકેટ્સ, બિસ્કીટ પેકેટ્સ, ચણા વગેરે ખાદ્યસામગ્રી હજારો લોકોને પહેંચાડવામાં આવે છે. આમ કુલ ૧ મહિના દરમિયાન ૧૫,૦૦,૦૦૦ ટંક જમણ જરૂરિયાતમંદૃ લોકોને પહોંચાડવામાં આવશે. લોકો આ સહાયનો લાભ લઈ શકે તે માટે ધરમપુર તાલુકામાં એક હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે.

Img 20200406 Wa0120

સરકારી હોસ્પિટલના ડાક્ટરો અને નર્સોને વેન્ટિલેટર વાપરવાની તાલીમ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના ડોકટર્સ દ્વારા આપવામાં આવી રહી છે. અનેક હોસ્પિટલોમાં   ફ્રન્ટલાઈન સેવકો અને દૃર્દૃીઓની આરોગ્ય સુખાકારી અર્થે આરોગ્ય સંભાળના સાધનો/ઉપકરણો જેમ કે માસ્ક, ટેમ્પરેચર ગન, બાયો સ્યૂટ, સેનેટાઈઝર્સ વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.  આવા સમયમાં પ્રાણીઓની સંભાળ માટે ધરમપુર તેમ જ મુંબઈમાં મોબાઈલ વેન દ્વારા રસ્તે રખડતા પ્રાણીઓને ઘાસ, બિસ્કીટ અને રોટલીઓનું નીરણ કરવામાં આવે છે. આ વેનમાં પ્રાણીઓના ડોકટર પણ હોય છે, જે તેમને તબીબી  સારવાર આપે છે. ધરમપુરમાં આવેલ પ્રાણીઓ માટેનું શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ નર્સિંગ હોમ આ કપરા સમયમાં પણ કાર્યરત છે.

પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈ જગતના સર્વ જીવોની નિરોગીતા માટે આ બધાં રાહતકાર્યોની પ્રેરણા કરી રહ્યાં છે, તો તેઓનાં માર્ગદર્શન હેઠળ સર્વેની નિરામયતા માટે યુ-ટયુબ દ્વારા વિશ્ર્વ શાંતિ  માટેના મેડિટેશન, સત્સંગ તથા યોગાભ્યાસના વિડિયોનું દરરોજ પ્રસારણ કરવામાં આવે છે.

આમ આ કટોકટીના સમયમાં સમસ્ત વિશ્ર્વને પ્રેમ અને સહાયનો સ્પર્શ આપી શાતા પહોંચાડતાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે સરકારને ખાતરી આપી છે કે જો લોકડાઉન પછી પણ જરૂર પડશે તો તેઓ હોસ્પિટલના બેડ, વેન્ટિલેટર્સ, આવશ્યક સાધનો વગેરે સ્ત્રોત કરી પુરાં પાડવા કટિબદ્ધ છે. વધુ માહિતી માટે (મો.નં.૯૮૨૧૦૪૬૬૦૩, ૯૮૨૦૦૬૬૫૯૩, ૮૩૬૯૪૬૭૨૨૩) પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.