Abtak Media Google News

ભારતીય ઓપનર શિખર ધવન અંગુઠાની ઇજાના લીધે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની બહાર થઇ ગયો છે. તેને આ ઇજા ઓસ્ટ્રેલિયા 9 જૂનના રોજ ઓવલ ખાતે થઇ હતી.ઋષભ પંતને તેની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.ઇજાના લીધે ધવન રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ માન્ચેસ્ટર ખાતેની મેચમાં રમ્યો ન હતો. પંતને તેના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો અને હવે તે ધવનને રિપ્લેસ કરશે.

ધવનની ઇજામાંથી સ્વસ્થ થવામાં વધુ ટાઈમ લાગે તેમ હોવાથી તે હવે વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. ભારતીય ટીમના ફિટનેસ ટ્રેનર શંકર બાસુએ કહ્યું હતું કે, એકથી વધુ ડોક્ટર પાસેથી ઓપિનિયન લીધા પછી ખબર પડી છે કે ધવન જુલાઈના બીજા અઠવાડિયા પહેલા ફિટ થઇ શકે તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.