Abtak Media Google News

સાંસદ મોહન ડેલકરે પ્રશાસકને પાઠવ્યા અભિનંદન

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલમાં પ્રશાસક પ્રફુલ પટેલના પ્રયાસોથી ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોર્નિયાલ પ્રત્યારોપણની મંજૂરી મળવાથી પ્રદેશના સાંસદ મોહનભાઈ ડેલકરે પ્રશાસકને અભિનંદન આપ્યા છે. અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નેત્ર બેંકની સેવાને સૌથી મોટી ઉપલબ્ધીગણાવી છે.

પ્રદેશમાં આ પ્રકારની સેવા ઉપલબ્ધ થવાથી આવનારા સમયમાં દ્રષ્ટિહિન લોકોને નવી દ્રષ્ટિ મળશે અને કુદરતની રંગીન સૃષ્ટિને નિહાળશે. આ ઉમદા કાર્ય માટે પ્રશાસક પ્રફુલભાઈપટેલ ખરેખર અભિનંદને પાત્ર હોવાનું સાંસદે પોતાના નિવેદનમાં જણાવ્યું છે.માનવ અંગે પ્રત્યારોપણ અધિનિયમ ૧૯૯૪ અંતર્ગત વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલમાં નેત્ર બેંકનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જે વરદાન રૂપ સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.