Abtak Media Google News

રવિવાર તા.૧૦ સવારે ૯ વાગે શુભનિશ્રા આચાર્ય મહારાજ યશોવિજયજી મહારાજ સહેબ રાજકોટ જૈન તપગચ્છ સંઘ, માંડવી ચોક દેરાસરમાં એક હજાર બાળકોને વરસ દરમ્યાન અભ્યાસમા જરૂરી અમૂલ્ય સન્માનીત કીટથી બહુમાન કરવામાં આવે છે. તે અંતર્ગત તા.૧૦ને રવિવારના રોજ સવારે ૯ વાગ્યે બાળકો કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમનાં બાળકોને પણ સન્માનીત કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અતિથિ વિશેષ રશ્માનભાઈ મોદી ચેરમેન, મોદી સ્કુલ,જીતુભાઈ બેલાણી, અગ્રણી બિલ્ડર્સ, મયુરભાઈ શાહ, જૈન અગ્રણી ડો. ઉર્વિબેન સંઘવી, ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ જે.વી. શાહ આર.ટી.ઓ. ઓફીસર વગેરેનું બહુમાન કરાશે.

કાર્યક્રમમાં દાતા પરિવાર મુખ્ય દાતા નિરંજનભાઈ દોશી, જુલીયાના ફેશન કલબનાં નીતિનભાઈ કામદાર, મુકેશભાઈ ઈશ્ર્વરભાઈ દોશીએ તથા સોનમ કલોકનાં જયેશભાઈ દોશી, કેતનભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, ઉતમભાઈ રામસીના, કમલેશભાઈ લાઠીયા, દિલીપભાઈ પારેખ, શ્રેણીકભાઈ દોશી, કેવિનભાઈ દોશીએ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ આચાર્ય મારાજા યશોવિજયજીમ.સા.ની શુભ નિશ્રામાં યોજાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.