Abtak Media Google News

આજકાલ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નની ચર્ચા થઈ રહી છે. આ બંને ઈટાલીના મિલાનમાં લગ્ન કરવાના છે. છેલ્લાં ચાર વર્ષથી આ બંને રિલેશનશીપમાં છે. ચાર વર્ષમાં તેમના રિલેશનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા હતાં. એક સમય એવો પણ હતો કે બંનેના સંબંધો પૂરા થઈ જવાના હતાં પરંતુ સલમાન ખાનની દરમિયાનગીરીને કારણે આ સંબંધો તૂટતા તૂટતા બચી ગયા હતાં.

અનુષ્કા શર્માએ સલમાન ખાનની ફિલ્મ ’સુલ્તાન’ સાઈન કરી હતી અને વિરાટને આ વાત પસંદ નથી. આથી જ આ બાબતને કારણે બંને વચ્ચે મતભેદ થયા હતાં અને બંનેના સંબંધો પૂરા થવાની અણી પર આવી ગયા હતાં. આ સમયે સલમાને આ બંને સાથે વાત કરી હતી અને બંનેને સમજાવીને સંબંધોને ફરી એક તક આપવાની વાત કરી હતી. સલમાનની વાત માનીને બંનેએ સંબંધોને ફરી એક તક આપી હતી. હવે ચર્ચા છે કે બંને લગ્ન કરવાના છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈટાલીની આ ખાસ જગ્યા માત્ર ઉનાળામાં ખોલવામાં આવે છે પરંતુ વિરાટો-અનુષ્કાને કારણે આ જગ્યા ડિસેમ્બરમાં ખોલવામાં આવી છે. જે લક્ઝૂરિયસ રિસોર્ટ-વિલામાં લગ્ન છે, તેની ચારે બાજુ કડક સિક્યોરિટી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.