Abtak Media Google News

રોયલ પાર્ક જૈન સંઘના આંગણે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની સાપ્તાહિક ઉજવણી બાદ સંવત્સરી મહાપર્વની ક્ષમાપના પાઠવી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રોયલ પાર્ક જૈન સંઘ દ્વારા તમામ તપસ્વીઓનાં પારણા અને વરઘોડાનું આયોજન કરાયું હતુ. તપસ્વીઓની શોભાયાત્રામાં જૈન-જૈનેતર ભાવિકોએ અનુમોદનાનો લાભ લીધો હતો. તપસ્વીઓને મગ અને ગોળના પાણીથી પારણા કરાવવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે જીનાલયમાં ધર્મોલ્લાસનો માહોલ છવાયો હતો. સાથોસાથ સંઘ જમણમાં જૈનોએ સમુહ ભોજન કરી પરસ્પર વિચારો અને લાગણીનું આદાન પ્રદાન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.