Abtak Media Google News

ધ્રોલ નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજીત રૂ.૫.૫૦ ખર્ચે કરોડના નવા કામો કરવામાં આવશે જેમાં એક ધ્રોલ ગજાનંદ સોસાયટીનો ૨૫ લાખના ખર્ચે પુલીયુ બનાવવામાં આવશે બૂમતરીયા ની વાડી તરફ જવાના રસ્તા નો પુલીયુ ૮.૮૦ લાખના ખર્ચે કરવામાં  આવશે પ્રગટેશ્વર મહાદેવ મંદિરની પાછળ લતીપર રોડ રૂપિયા ૯.૯ લાખના ખર્ચે કરવામાં આવશે તેમજ જુદા જુદા કામોના ખાતમૂર્હત કરવામાં આવ્યા હતા. આ તકે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર, ઈરફાન ઉપપ્રમુખ, કલ્પેશ હડીયલ, ગોવિંદભાઈ દલસાણીયા, સંજયસિંહ જાડેજા,  મનસુખભાઈ પરમાર, સવિતાબેન વશરામભાઈ વરુ, તુષારભાઈ ભાલોડીયા, હિતેશભાઈ ભોજાણી,  રાજેન્દ્રસિંહ સોલંકી, હિરેન ભાઈ કોટેચા, સહિત નગરપાલિકા કોર્પોરેટરો, શહેરના આગેવાનો અને કાર્યક્રરોની આગેવાની હેઠળ લાખો રુપિયાના નવા કામોના ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.