Abtak Media Google News

આંતકવાદીઓના નાપાક કૃત્યને ભારતના દેશવાસીઓ કદી માફ નહિ કરે.

મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા દંડક અજયભાઈ પરમાર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ગઈકાલે કાશ્મીરમાં પુલવામા ખાતે આંતકી હુમલામાં શહીદ થયેલ દેશના 44 જવાનોને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવે છે. અને તેમના પરિવાર પર આવી પડેલા વ્રજઘાત સમાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના.

આંતકવાદીઓના નાપાક કૃત્યને વખોડતા પદાધિકારીઓએ જણાવેલ કે, આંતકીઓમાં હિંમત હોય તો ભારતના જવાનોને લલકારીને સામી છાતીએ આવે તો પોતાની મર્દાનગીનો ખ્યાલ આવે. તમામ આંતકવાદી સંગઠનો છુપાઈને હુમલા કરે છે અને જેહાદીના બણગા ફૂંકી રહ્યા છે. એક વખત ભારતના જવાનોની સામે આવી યુદ્ધ કરવા તૈયાર થાય તો ભારતના જવાનો તેમને ભો માં ધરબી દેવાની તાકાત ધરાવે છે.  પરંતુ પીઠ પાછળ ઘા કરી, પોતાનું માયકાંગલાપણું દેખાડેલ છે. આ નાપાક હુમલાને ભારતના તમામ નાગરિકો કદી માફ નહિ કરે. આ ઘટના ખુબ જ દુઃખદ છે અને તમામ શહીદ જવાનોને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.